________________
દેવતાઓને તે આહ્વાન આપે છે અને સહુ મળીને મેરુ પર્વત ૫૨ ભગવાનને લઇ જાય છે અને ત્યાં સ્નાત્ર મહોત્સવ ઉજવે છે. પોત પોતાના વિમાનોમાં આવતાં વિવિધ દેવ લોકનાં દેવો જે ઉત્સાહથી
અને જે ધામધૂમથી આ મહોત્સવ ઉજવે છે તેનુ વર્ણન ખૂબ જ સુંદર છે, પરંતુ આપણે વિસ્તાર ભયે આ વર્ણન ટાળીશું. બાળપણ, યુવાની, ગૃહસ્થાશ્રમ.
ભગવાનનાં ઉ૨ ઉપ૨ ઋષભનું ચિહ્ન હતુ તથા માતાએ સ્વપ્નામાં પ્રથમ ઋષભ જોયેલો તેથી બાળકનું નામ ઋષભ પાડવામાં આવ્યું. તે સાથે યુગ્મધર્મી કન્યા પણ જન્મી હતી તેનુ નામ સુમંગલા ૨ખાયું.
એકવેળાએ કોઇ એક યુગલિઆનુ જોડુ ખંડિત થયુ.. બાળક મણ પામ્યો, બાલિકા જીવતી રહી. પ્રથમ તો બાળક તથા બાલિકા મોટાં થતાં જ પતિ-પત્ની બનતાં હતાં, પરંતુ હવે આ બાલિકા એકલી પડી તેનુ નામ સુનંદા હતુ. આ બાલિકાને નાભિ રાજા પાસે લાવવામાં આવી. નાભિ રાજાએ તેને ઋષભ દેવ સાથે
પરણાવવાનો વિચાર કર્યો. આ રીતે સહુ પ્રથમ ઋષભ દેવનાં સમયથી યુગલિક ન હોય તેવી નારીને પરણવાનું શરુ થયું
ભગવાન યોગ્ય ઉંમરે સુનંદા અને સુમંગલાને પરણ્યાં. કાળક્રમે સુમંગલાએ ભરત અને બાહ્મી નામના જોડકાને જન્મ આપ્યો તથા સુનંદાએ બાહુબલિ તથા સુદર્દીને જન્મ આપ્યો. આ અરસામાં ધીરે ધીરે કષાયની વૃદ્ધિ થતી જતી હતી. લોકો પણ હાકાર, માકાર તથઅ ધિક્કાર નીતિને અવગણવા લાગ્યાં હતાં, કલ્પવૃક્ષનો પ્રભાવ ઓછો થયો હતો. નાભિ રાજાએ (જેઓ ખરેખર તો કુલકર હતાં-૨ાજા નહીં) પ્રથમ રાજવી તરીકે ઋષભ દેવની વરણી કરીને રાજ્યાભિષેક કર્યો. ઋષભ દેવ પ્રથમ રાજા થયાં તેમણે મંત્રીઓ, સેનાપતિ વ. ની નિમણુંક કરી. કલ્પવૃક્ષોનાં ફળો અપ્રાપ્ય બનતાં તેમણે લોકોને વિવિધ વિધા શીખવી, અગ્નિનો ઉપયોગ કરતાં અને અન્નને રાંધીને ખાતાં સહુ પ્રથમ તેમણે શીખવ્યું. રાંઘવા માટે વાસણ જોઇએ તેથી કુંભકાર વિધા પ્રથમ વિકસી, તે પછીથી તો બીજી વિદ્યાઓનો અને કળાઓનો પણ વિકાસ થયો.
58
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org