SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ કરશે. પાણી માટે ખોપરીનો ઉપયોગ કરશે. આ છ આરા બાદ કાળચક ઉપર ચડવાનું શરુ કરે છે અને તેને ઉત્સર્પિણી કાળ કહે છે. તેમાં પ્રથમ દુઃખમાં દુખમ, બીજો દુઃખમ, ત્રીજો દુઃખમાં સુખમ ચોથો સુખમાં દુઃખમ પાંચમ સુખમા તથા છઠ્ઠો સુખમાં સુખમ એમ છ આરાઓ છે. આ રીતે ક્રમશઃ સુખની વૃદ્ધિ થતી જાય છે. ઉપર વર્ણવેલી રેડિએશન જેવી દશાનો અંત ઉત્સર્પિણીના બીજા આરાથી શરુ થાય છે. ધીરે ધીરે હવા ચોખ્ખી થતી જાય છે અને વિવિધ પ્રકારના ગુણોવાળા વરસાદ વર છે અને પરિસ્થિતિ બદલાય છે. ધરતી ધીરે ધીરે ફળદ્રુપ થતી જાય છે આમ ધીરે ધીરે પ્રતિકૂળ પરિસ્થિતિ ઘટતી જાય છે અને અનુકૂળ વાતાવરણ સજોતુ જાય છે. હવે આપણે મૂળ વાત પર આવીએ. સાત કુલકરોની ઉત્પત્તિ અવસર્પિણીનાં ત્રીજા આરામાં થાય છે. છેલ્લા કુલકર નાભિ રાજા તથા તેમના પત્નીને પુત્ર જન્મે છે તે પ્રથમ તીર્થકર ત્રષભદેવ ભગવાન. તીર્થકરને જીવ માતાના ગર્ભમાં હોય ત્યારે માતા ચૌદ સ્વપ્નાં જૂએ છે આ ચૌદ સ્વપ્ન છે. (૧) વૃષભ (૨) હાથી (૩ સિંહ (૪) લ-મી ૫ )પુષ્પમાળા (9ચત્ (O) સૂર્ય (૮)ધ્વજ (૯)કળશ (૧૦) કમળ સરોવર (૧૧૦સીર સમુદ્ ૧૨ દેવ વિમાન (૧)૨ન સમુચ્ચય ૧૪નિમ અગ્નિ આ ચૌદ સ્વપ્નનું સ્વપ્ન-પાઠક પાસે ફળ જોવરાવે છે, તેમાં જ્યોતિષીઓ કહે છે કે આ ઉત્તમ મહા મંગલકારી સ્વપ્ન તમે જોયાં છે. આ સ્વપ્નનો અર્થ એ જ કે તમારી કુક્ષિએ મહાન કુલકર જન્મશે (અન્ય તીર્થકરોની બાબતમાં પુસ્તકમાં એમ છે કે તે મહાન ધીર, વીર, વિજેતા થશે અથવા તે ધર્મ ચક્ર-પ્રર્વતન કરશે. ચોવીશય તીર્થકરોની માતાએ આ ચૌદ સ્વખો જ જૂએ છે. 2ષભદેવની માતા પ્રથમ ત્રષભ જૂએ છે. મહાવીર સ્વામીની માતા પ્રથમ સિંહ જુએ છે. બાકીના બીજા તીર્થંકરોમાં સ્વપ્નાંને કમ હાથીથી શરુ થાય છે. (કલ્પસૂત્રમાં મહાવીર ચરિત્રમાં જો કે મહાવીર સ્વામીનાં માતાએ પ્રથમ હાથી જોયો તેમ દશાવેલ છે 56 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy