________________
કાળચક્રઃ- આપણે રહીએ છીએ તે ભરતક્ષેત્ર છે. અહીંયા વીસ ક્રોડા ક્રોડ સાગરોપમનું બાર આરા વાળ કાળ ચક્ર સદાયે ફર્યાં કરે છે. જે કાળમાં દુઃખ વધતું જાય તે અવસર્પિણી કાળ કહેવાય છે. જે કાળમાં સુખ ક્રમશઃ વધે તે ઉત્સર્પિણી કાળ કહેવાય છે. આ બન્નેના પાછા છ છ વિભાગ છે તે આરાઓ કહેવાય છે, ઘડીયાળના બાર વાગ્યા પછી ફરીથી એકથી શરૂ થાય તેમ સુખની અંતિમ પરાકાષ્ઠા પછી દુઃખની શરુઆત થાય છે.
અવસર્પિણીના છ આરાનું ટૂંકમાં વર્ણન આ પ્રમાણે છે.
સહુથી પ્રથમ આરો સુખમા સુખમ છે અહીંયા શુખ, સુખ અને સુખ જ છે. દુઃખ આવવાનુ છે પણ આ આરામાં તેની ખબર પડે તેમ નથી. છતાંયે "કાંટા નીચે જઇ રહ્યો છે. આ પરમસુખના કાળમાં મનુષ્ય દેહની ૩ ગાઉની ઉંચાઇ હોય છે. આયુષ્ય ૩ પલ્યોપમનુ હોય છે. કલ્પવૃક્ષો તેમની સર્વ ઇચ્છાઓ પૂર્ણ કરે છે.
બીજા આરાનું નામ સુખમા છે, હજીયે પૂર્ણ સુખ છે પરંતુ મનુ ષ્યના દેહ અને આયુષ્યમાં ઘટાડો થાય છે.
ત્રીજા આરામાં આયુષ્ય માન ઘટતાં જાય છે આ આરો સુખમા દુઃખમ કહેવાય છે. ત્રીજા આરાના પાછળનાં ભાગમાં કુલકરોની ઉત્પત્તિ થાય છે. કલ્પવૃક્ષથી ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થતી નથી. મનુષ્યોમાં પરસ્પર વાદવિવાદનુ સર્જન થાય છે. અહીંયા યુગલિક જ ઉત્પન્ન થાય છે, એટલે કે ભાઇ બહેનનુ જોડ જન્મતુ હોય છે. કાળક્રમે આ યુગલિક દ્વારા જ સંતાનોત્પત્તિ થાય છે. મન કલુષિત થાય છે, ક્લેશ શરુ થાય છે. પ્રથમ તો દંડ માટે
હું આમ કર્યું" તે દર્શાવતો "હા" શબ્દ જ વપરાતો તેથી હાકાર નીતિ કહેવાતી. એ પછી માકાર નીતિ આવી અને ત્યાં અઘટિત કામ માટે ના પાડવામાં આવતી હતી, તે બાદ ત્રીજી ધિક્કાર નીતિ પણ શરૂ થઈ. કહેલું ન માને તેને ધિક્કાર આપવો તે પ્રમાણે દંડની પ્રથા અમલમાં આવી, આ આરામાં યુગલિક પરસ્પર પરણતા નથી અને અન્ય કન્યાનું પાણિગ્રહણ કરે છે. આ સમયે અગ્નિનો
52
**
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org