________________
દેવબોધિ માટે હવેતો કશુ જ કહેવાપણુ ન રહ્યુ. હેમચંદ્રાચાર્ય હિંદુ દેવતાઓનો આદર કરતા અને સંતોને માન આપતા. સિદ્ધરાજ સાથે કરેલી શૈવ મંદિરની મુલાકાતની વાત જાણીતી છે. તેમનું રચેલુ મહાદેવ સ્તોત્ર પણ તેમના હિંદુ ધર્મ પ્રત્યેના ભકિતભાવનુ સૂચક છે. કુમારપાળને સમજાવીને જીર્ણ થઇ ગયેલાં સોમેશ્વરના મંદિરનો તેમણે જીણો દ્વાર કરાવ્યો હતો. હેમચંદ્રાચાર્યે વામદેવને પણ માી બક્ષી હતી. કુમારપાળે તેની આજિવિકા બંધ કરાવી હતી, તે હેમચંદ્રાચાર્યના કહેવાથી ફરીથી ચાલુ થઇ હતી.
હેમચંદ્રાચાર્યે પોતાની મંત્ર વિધાથી કુમારપાળનો કોઢ મટાડયો હતો.તથા એકવેળાએ કુમારપાળને વિનંતિ કરી હતી કે તમારા મહેલમા આજની રાત સુવા જતા નહી. કુમારપાળે આ સુચનાનો અમલ કર્યો હતો અને તે રાતે જ મહેલ ૫૨ વીજળી પડી હતી. કુમારપાળનો હેમચંદ્રાચાર્ય પર આદરભાવ આ રીતે વધતો જતો હતો કુમારપાળ પોતાના રાજયનાં દીન દુખીયાઓના દુઃખ જાણવા તથા નગરની પરિસ્થિતિનો અભ્યાસ કરવા રાત્રે નગરચયાંએ જતો હતો. એકદા તેણે કેટલાંક મુ ંગા પ્રાણીઓને કત્લ માટે લઇ જવાતા જોયા. જૈન ધર્મની અહિંસા ભાવનાના રંગે રંગાયેલો કુમારપાળ આ જોઇ શકયો નહીં તેને પોતાના ૫૨ અને પોતાના રાજય ૫૨ જ ધિકકાર આવ્યો. જે રાજયમાં આજિવિકા અર્થે પશુઓનો વધ કરવામાં આવે ત્યાંનો હુ'રાજા છું તેથી મને ધિકકાર છે. મારા કરવેરાથી મુંગા પ્રાણીઓને પણ રક્ષણ મળવુ જ જોઇએ એમ તેને થયુ. ગુજરાતમા જીવ હિંસાની જે નાબુદી થઇ છે અને શાકાહારી પણાનો પ્રચાર થયો છે, તેમાં હેમચંદ્રાચાર્યનો મોટો ફાળો છે. હેમાચાર્યે કુમારપાળને ભાર પૂર્વક કહ્યુ કે સ્વર્ગપ્રાપ્તિનો એક જ સાચો માર્ગ છે અને તે અહિ ંસા ધર્મનો માર્ગ, કુમારપાળે માત્ર ગુરુ ભકિતથી જ નહીં પણ જીવ દયાની ભાવનાથી પ્રેરાઇને રાજયમાં અમારિ ધોષણા કરાવી. હેમાચાર્યના મહાન વ્યકિતત્વની અસર ગુજરાતમાં આજેય છે. ભારત વર્ષમાં ગુજરાતીઓમાં શાકાહારી પણુ સવિશેષ પ્રમાણમા છે અને જીવદયાની ભાવના પ્રબળ છે. કુમારપાળ પ્રજા વત્સલ તેમજ પ્રાણી વત્સલ રાજા બની રહ્યો. તે
36
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org