________________
કાયર નહોતો તેનુ હૃદય જેટલુ કઠણ હતુ તેટલુ કોમળ પણ હતુ. ગીંબો પ્રત્યે મમતા. દુ:ખીને સહાય અને અબોલ પ્રાણીઓને અભય દાન આપનાર મહાન રાજવી પરમાર્હત કહેવાયો. તેમાં ભાગ્યેજ અતિશયોકિત ગણાય. કુમારપાળે રાજા બનતા પહેલા અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો, ગરીબાઇ અને દુઃખ જોયા હતા, મૃત્યુના ઓળા અનેકવાર તેને ડરાવવા આવી ઉતયાં હતાં એટલે જ તે સામાન્ય જનસમાજને સારી રીતે ઓળખી શકયો હતો. ઇતિહાસમાં પરમાર્હત કહી શકાય તેવા રાજાઓમાં કુમારપાળનુ મૌખશન છે. અભયદાનની ભાવનાથી ગુજરાતની સંસ્કારિતામાં ફેરફારો થયાં.
સ્થાન
કુમારપાળનાસમયમા નિર્વંશનુ ધન રાજયના ખજાનામાં જાય તેવી પ્રથા હતી તે પણ કુમારપાળે બંધ કરાવી. એની પાછળની પ્રચલિત કથા કંઇક આવી છે. એક વેળાએ મધ્ય રાત્રીએ કુમારપાળે કોઇનાં રૂદનનો અવાજ સાંભળ્યો. કોઇ દુઃખીયારી બાઇ રડી રહી હતી. કર્યા. કુમારપાળે છાનામાના એકલાં જ જઇ તપાસ કરવાનો નિર્ણય તપાસ કરતાં તેણે એક દુઃખી બાઈ જોઇ. આસ્ત્રી એક વૃક્ષ નીચે બેસીને રડી રહી હતી અને ફાંસો ખાઇને આપધાત કરવાની તૈયારીમાં હતી. રાજાએ અત્યંત શાંત ભાવે પ્રેમથી તેને શાંત પાડી અને તેની વિતક કથા કહેવાની વિનંતિ કરી. તે સ્ત્રીએ રડતાં રડતાં કહ્યુ કે મારો પતિ આ નગરમાં પ્રથમ આવીને રહ્યો, તે બે પૈસે થયો. અમને સુખ શાંતિ મળ્યા. મને પુત્ર પ્રપ્તિ થઈ પણ આ સુખ મારા નસીબમાં નહીં હોય, દૈવ યોગે પતિ અને પુત્ર બંને મરણ પામ્યાં.હવે હું એકલી નિરાધાર છું. મારુ કોઇ નથી અને મારુ ધન પણ રાજયના ખજાનામાં જશે. કારણકે જે ઘરમાં કોઈ વંશ વારસ નહોય તેનુ ધન રાજયના ખજાનામાં જાય છે. કુમારપાળ રાજાએ આ સ્ત્રીના દયાર્દ ચહેરાને અને આંસુ ભરેલી આંખોને જોઇને નિર્ણય કરી લીધો. આ કાયદો અન્યાયી છે નિરાધારનુ ધન ઝડપી લેવાનો નિયમ ગેરવ્યાજબી છે, બિન જરુરી છે. જે રાજા પ્રજાનુ રક્ષણ કરવાંને બદલે તેના દુખમાં વધારો કરે અને ધિકકાર છે. કુમારપાળે તે સ્ત્રીને આશ્વાસન આપીને કહ્યુ કે
37
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org