________________
કુમારપાળનો રાજયાભિષેક આચાર્ય ભાખેલ ભવિષ્યવાણી પ્રમાણે જ થયો. ઉદયનનો પુત્ર વાગ્ભટ્ટ ( બાહડ ) તેનો મુખ્ય મંત્રી બન્યો. રાજા થયાં પછી કુમારપાળે રાજયવ્યવસ્થા સુદઢ કરી. કુમારપાળે અભિમાની ૨ાજા અણો ૨ાજને હરાવવાનો નિર્ણય કયો. અગિયાર અગિયાર વાર નિષ્ફળ થયો પરંતુ વાગ્ભટ્ટે તેને જૈન શાસનમાં શ્રદ્ધા રાખી બારમી વાર ચડાઈ કરવાનુ કહ્યુ. આ વખતે કુમારપાળની જીત થઈ.
કુમારપાળ માત્ર જૈન ધર્મ પાળનાર અહિંસક રાજવી નહોતો તેણે અનેક સંગ્રામો ખેલ્યાં હતાં અને વિજયી નીવડયો હતો. ભારતમાં
આ સમયે કુમારપાળ સૌથી વધુપ્રતાપી રાજવી હતો. કુમારપાળની આણ ઉત્તર કાશ્મીરથી દક્ષિણે કોલ્હાપુર સુધી ફેલાઇ હતી. પૂર્વમાં ગંગા નદીના પ્રદેશો સુધી તેનો પ્રભાવ હતો. પશ્ચિમમાં સૌરાષ્ટ્ર તો હતુ જ પરંતુ પંજાબના અને સિંધના કેટલાક ભાગ તેના તાબામાં હતા. ચિત્તોડના કિલ્લાના શિલાલેખ પ્રમાણે પૃથ્વી પરના સર્વ રાજા કુમારપાળને મસ્તક નમાવતા. શાકંભરીનો રાજા તેના શરણે આવ્યો હતો. સ્વયં હથિયાર ધારણ કરી કુમારપાળે અનેકને મહાત કર્યાં હતાં. પંજાબમાં સાલપુર અને કોંકણના સિલહારના રાજાને તેણે વશ કર્યાં હતા. આ બતાવે છે કે સિદ્ધરાજ અને કુમારપાળનો સમય ગુજરાતનો સુવર્ણ યુગ હતો. પાટણની જાહોજલાલીનો તો પાર જ નહોતો. ઊંચા ઊંચા સુંદ૨ આવાસોથી પાટણ નગરી શોભતી હતી. આનગરમાં૧૮૦૦ કરોડપતિઓ હતા તેમ કહેવાય છે સિદ્ધરાજ કે કુમારપાળ જૈન થયાં હતાં કે કેમ તે ચોં ભૂતકાળમાં અનેકવાર થઇ ચૂકેલી છે. સિદ્ધરાજ પોતે હેમચંદ્રાચાર્ય પ્રત્યે અને જૈન ધર્મ પ્રત્યે અનન્ય ભાવ શખતો હતો. તેણે અમારિ પ્રવર્તન કરાવ્યુ હતુ. કુમા૨પાળતો આચાર્યનો જીવનભરનો ઋણી હતો. તેના ઉપર જૈન ધર્મની પ્રગાઢ અસર હતી, તે જૈન થયો હોય કે ન થયો હોય પરંતુ તેનો જૈન ધર્મ પ્રત્યેનો સદ્દભાવ, જૈન આચાર
32
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org