SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધરાજે જૈન દેરાસરોના જિણો દ્વારમાં તથા નૂતન દેરાસરોના બાંધકામમાં ફાળો આપેલો. તેણે સંવત ૧૧૫૨માં સિદ્ધ૫૨ વસાવ્યુ અને ત્યાં ૬માળ બંધાવ્યો. આ વિષે પણ સુંદર કથા પ્રચલિત છે સિદ્ધપુ૨માં પણ તેણે જૈન દેરાસર બંધાવ્યુ હતું. સિદ્ધરાજ પર અન્ય જૈન સાઘુઓનો પ્રભાવ હતો. માલ ધારી અભયદેવસુરિના ઉપદેશથી પર્યુષણ પર્વના દિવસોમાં સિદ્ધરાજે અમારિ પ્રવર્તન કરાવી પશુ વધની મનાઇ કરી હતી સિદ્ધરાજની ૨ાજયસભામાં ઘણા વિદ્વાનો પણ હતા આમા શ્રીપાળ કવિ પણ પ્રખ્યાત છે. તે પોરવાડ જ્ઞાાતિનો હતો અને પ્રજ્ઞા ચક્ષુ (અંધ) હતો. રાજાએ તેની કૃતિ "વૈરોચન પરાજય"થી પ્રભાવિત થઇ તેને કવિરાજ યા કવિ ચક્રવર્તિનું બિરુદ આપ્યુ હતુ. શ્રીપાળે સહસ્ત્ર લિંગ સરોવરની, દુર્લભ સરોવરની અને કુમાળની પ્રશસ્તિ પણ રચી હતી. એક વીરાચાર્ય નામના સાધુ સિદ્ધરાજના મેણાને ખમી નહીં શકવાથી, રાજ્ય છોડીને ચાલ્યા ગયેલાં તેમ પણ ઉલ્લેખ છે.. ૨ાજાઓના આશ્રયથી જ વિદ્વાનો નભે છે અને અન્યત્ર જનાર તો ભિખારીની દશામાં જીવશે તેમ સિદ્ધરાજે કહ્યુ હતુ. વીરાચાર્ય આથી નારાજ થઈ ચાલ્યા ગયેલા. તેઓ રાજાના આ ઘમંડને સહન કરી શકે તેમ નહોતા. અને પોતાની વિદ્વતા શકિત કોઇનીયે ગુલામ નથી તેમ માનતા હતા. આ વિદ્વાન સાધુને પછી સિદ્ધરાજે પાછા બોલાવ્યા હતા. સિદ્ધરાજના સમયમાં માલધારી અભયદેવના શિષ્ય હેમચંદ્રસુરિ થઇ ગયા હતા. આમના વિષે પણ અનેક વાતો જાણીતી બની છે.. આપણા પુસ્તકના મહા-નાયક હેમચંદ્રાચાર્યના નામ સાથે આ પ્રકારે ભળતા જ નામથી કેટલાંક લેખકોએ ગોટાળો કો' છે. સિદ્ધરાજ શત્રુંજયની યાત્રાએ ગયો ત્યારે તેમની સાથે ગયેલા સાધુ તે હેમચંદ્રાચાર્ય કે અભયદેવનાં શિષ્ય હેમચંદ્રસુરિ તે બાબતમા જૂદી જૂદી વાતો છે સિદ્ધાજના અવસાન બાદ 31 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy