________________
છે. સિધ્ધહેમ પછી તેમણે શબ્દકોશીની પણ રચના કરી. અભિધાન ચિંતામણિ અને દેશી નામ માળા તેમના બે મુખ્ય શબ્દકોશ છે. આ શબ્દકોશોની ૨ચના પણ ઐતિહાસિક ગણી શકાય. આ કૃતિઓ એટલે તે જરૂર પ્રતિપાદન કરે છે કે હેમાચાર્યો જે કંઈ લખ્યું તે માત્ર જૈન ધર્મ વિષયક નહોતુ તેમના લખાણથી સમગ્ર ગુજરાતી પ્રજાને ફાયદો થયો છે. ગુજરાત તેમના ગ્રંથોથી સાચા અર્થમાં સમૃધ્ધ બન્યું. અભિધાન ચિંતામણિમાં તેમણે એકજ અર્થ વાળા અનેક શબ્દો દશૉવ્યા છે આથી વિરુદ્ધ અનેકાર્થ સંગ્રહમાં એક શબ્દનાં અનેક અર્થ દશાવ્યા. વ્યાકરણ અને ભાષા ઉપરાંત કાવ્યનાં બે ગ્રંથો- કાવ્યાનુશાસન અને છંદોનુશાસનમાં તેમણે વિવિધ પ્રકારે કાવ્યની અને છંદોની ચચો કરી છે. વ્યાકરણના ઉદાહરણ રજૂ કરતાં તેમને ગંથ દ્વયાશ્રય મહા વિદ્વાન હેમાચાર્યને અભૂત ગ્રંથ છે. વ્યાકરણ સમજાવતા સમજાવતા ઈતિહાસ વર્ણવેલો છે. દ્રયાશ્રય વાંચતા મુળરાજથી માંડીને કુમારપાળ સુધીનો ઇતિહાસ, પાટણ, તેની જાહોજલાલી ત્યારનું જનજીવન, તત્કાલિન આચાર વિચાર, આનંદ-પ્રમોદ વિધા-કલા સર્વ જાણે ચક્ષુ સમક્ષ હાજર થાય છે. દ્રયાશ્રયનાં અનેક સગીમાં ગુજરાતી યોદ્ધો, ગુજરાતી ખેડૂત, ગુર્જર નારી કે ગુર્જર પંડિત દેખા દે છે. એ સમયનાં રીત રિવાજો ઉત્સવો અને અનેક રસપ્રદ પ્રસંગોથી આ ગ્રંથ ભ૨પૂ૨ છે. સંસ્કૃત દ્વયાશ્રય અને પ્રાકૃત દ્વયાશ્રય એમ બે રીતે આ ગ્રંથની રચના થઈ છે. પ્રથમમાં સિદ્ધરાજ સુધી અને બીજા પ્રાકૃત ગ્રંથમાં પાકૃત વ્યાકરણનાં ઉદાહરણો સમજાવતાં સમજાવતાં કુમારપાળના સમયની પરિસ્થિતિ વર્ણવી છે. માત્ર ઈતિહાસ જ નહી પરંતુ તે સમયનાં ગુજરાતનું હાર્દ સમજવા માટે આ ગ્રંથનું અધ્યયન આવશ્યક બની રહે છે.
હેમચંદ્દાચાર્યની વિદ્ધતા માત્ર એમનાં ગ્રંથોમાં જ ષ્ટિગોચર થાય છે તેવું નથી. તેમના જીવનનાં જે કંઈ નાના મોટા
03
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org