________________
આ ઉણપ પૂરી કરવા માટે એકજ વ્યકિત સમર્થ હોય તેમ સિધ્ધરાજને લાગતુ હતુ. આ હતા હેમચંદ્રાચાર્ય. અવંતીમાં ભોજરાજાનું પ્રધાન વ્યાકરણ હતુ. ભોજરાજાના જ્ઞાન અને વિદ્વતાની પ્રશંશા તેણે સાંભળી હતી. બાર બાર વર્ષના અંતે સિધ્ધરાજ માળવા પર વિજય પ્રાપ્ત કર્યો હતો. પરંતુ સાહિત્ય અને કલાના પ મી ભોજરાજાની જ પ્રશંશા થતી હતી. ગુજરાતમાં કંઈક ખૂટતુ હતું. પ્રથમ તે વ્યાકરણની મોટી ખોટ પૂરી કરવા માટે સિધ્ધરાજ હેમચંદ્રાચાર્યને વિનંતિ કરી. તેમણે સહર્ષ આ વિનંતિનો સ્વીકાર કર્યો. તેમણે કાશ્મીરથી ભારતી દેવી ભંડારનાં આઠ વ્યાકરણનાં ગથી ગુજરાતમાં મગાવ્યા. તેમણે આ આઠેય ગ્રંથોનું ઊંડુ અધ્યયન કર્યું. અને સિદ્ધહેમ વ્યાકરણની રચના કરી. આ ગ્રંથ સિદ્ધહેમ શબ્દાનુશાસન તરીકે પણ ઓળખાય છે. રાજ્ય સભામાં આ મંથનું પઠન કરવામાં આવ્યું. ઉપસ્થિત વિદ્વાનો પણ આસંથથી ગૌરવ અનુભવવા લાગ્યા. આ પુસ્તક વગર ચલાવી શકાય કે તેની અવેજમાં બીજો ગ્રંથ ચાલે તેમ હવે ન રઘુ..સિધ્ધરાજે પણ આ ગ્રંથનું મહત્વ સમજીને પોતાના મુખ્ય હાથી પર ગંથ પધરાવી પાટણમાં ભારે ધામધૂમથી તેની ઘોષણા કરાવી. ત્રણસો જેટલા લહિયાઓ બોલાવીને તેની નકલ કરાવી અને ભારતના અનેક પ્રદેશોમાં તથા નેપાળ, લંકા અને ઇરાન મોકલવામાં આવી. પાટણમાં કર્ક નામના વ્યાકરણ શાસ્ત્રીને આ વ્યાકરણ પાટણ અને અન્ય નગરોના વિધાર્થીઓને શીખવવા માટે નિયુકત કરવામાં આવ્યા.. દ૨ મહિનામી સુદ પાંચમે વ્યાકરણના વિષય પર પરીક્ષા લેવામાં આવતી અને સફળ થનારને શાલ સુવર્ણ મહોર ઇ.ની ભટી અપાતી. સવા લાખ શ્લોક પ્રમાણ આ વ્યાકરણ છે. આ વ્યાકરણની રચનાથી સિધ્ધરાજના રાજય દરબારમાં હેમચંદ્રાચાર્ય મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું. સંસ્કૃત, પાકૃત અને અપભ્રંશનું આવું વ્યાકરણ તેમના પછી કોઇએ લખ્યું નથી તેજ આની મહત્તા દશાવે
22
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org