________________
જેમ રહે છે. ધનદ શેઠને આ વાતની પાછળથી ખબર પડી ત્યારે તે સોમચંદ્ પાસે આવ્યા અને પોતાની દરિદ્રતા દૂ૨ ક૨વાની વિનંતિ કરી. સૌમચંદ્ર તે કોલસા તરફ શેઠનું ધ્યાન દોર્યુ. મુનિના પ્રભાવથી હવે શેઠ સુવર્ણ જોઇ શકયાં. ધનદ શેઠે આથી સોમચંદ્રને હેમચંદ કહ્યા અમે તેમના ગુરુને વિનંતિ કરી કે આમનુ નામ હેમચંદ્ર રાખો. આમ બાળક ચાંગમાંથી સોમચંદ્ અને તેમાંથી પછી હેમચંદ્ નામઅભિધાન થયું.
ગુરુએ તેમને આચાર્યની પદવી અર્પણ કરી. આ દિવસ હતો સંવત ૧૧૬ ના અક્ષય તૃતીયાનો. રાજસ્થાનના નાગો૨ ગામે આ મહોત્સવ ઉજવાયો. આચાર્ય થયા બાદ તેઓ હેમચંદ્રાચાર્યના નામથી ઓળખાયા. ગુરુએ પોતેજ તેમને કપુર, ધૂપ, ચંદનથી સન્માનિત કર્યાં. તેમને સુરિ મંત્ર સંભળાવ્યો. ચારે તરફ મંગળ વાધાથી વાતાવરણ ગૂંજ ઊઠયુ.
આમ માત્ર એકવીશ વર્ષની નાની ઉંમરે તેઓ આચાર્ય પદ પામ્યા. નાની ઉંમરે જ પોતાના પુત્રની આટલી ઉન્નતિ જોઇને માતા પાહિણીના હૃદયમાં પણ ધર્મ ભાવના પ્રબળ પણે જાગૃત થઇ. કેટલો આધ્યાત્મિક વિકાસ અને કેટલુ ગહન જ્ઞાન હેમચંદ્રચાર્ય પ્રાપ્ત કર્યુ હતુ ! તેમની ખ્યાતિ પણ દૂર દૂર સુધી ફેલાતી જતી હતી. આવી ઊંચી કોટિના ધામિક વ્યકિતત્વને લઇને ધર્મ ભાવના પણ વિસ્તરતી જતી હતી. માતા પાહિણીએ પણ સંસારનો ત્યાગ કરવાનો નિર્ણય કરી લીધો અને હેમચંદ્ યારે આચાર્ય થયા ત્યારે પાહિણીએ પણ દીક્ષા અંગીકાર કરી. તેઓએ ઘણા વર્ષો સાધ્વી તરીકે ગાળયા. તેમને પ્રવતિ નીનું પદ પણ આપવામાં આવ્યુ હતુ. તેમનુ અવસાન સંવત ૧૨૧૧માં થયુ હતું..
હેમચંદ્રાચાર્યના જ્ઞાન ધ્યાનની સુવાસ પ્રસરતી ચાલી. એ સમય હતો. રાજા સિધ્ધાનો. હેમચંદ્રાચાર્ય અને સિધ્ધરાજનો લાંબા સમયનો સહયોગ થવાનો જ હતો. આ સંયોગ, આ ભવિતવ્યતાને કોણ રોકી શકવાનુ હતુ ! માત્ર નિમિત્ત રૂપ પળ
20
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org