________________
કરવાને નિર્ણય કર્યો હતો. ગુરુ આજ્ઞા મેળવી, વિહાર કરી તેઓ ખંભાતથી પાસેના ગામ રેવતાવતાર પહોંચ્યા ત્યાં તેમણે ધ્યાન આરાધના કરી. અર્ધ રાત્રી વીત્યા બાદ મા સરસ્વતી પ્રસન્ન થયાં. સાક્ષાત દર્શન આપ્યા ને ઇચ્છિત વર આપ્યું. પટ્ટાવલિ પ્રમાણે ગુરુ મહારાજે તેમને સિદ્ધચક્રનો પ્રભાવિક મંત્ર આપ્યો હતો. આ મંત્રની સાધના કરવામાં પદિમની સ્ત્રીની સહાયની આવશ્યકતા હતી. આવી સ્ત્રી શોધીને તેની સન્મુખ મંત્રની આરાધના કરી. સ્ત્રી સૌંદર્યથી વિચલિત ન થવાય તે હેતુ આમાં અગ્રસ્થાને હતો. સાધના કરતાં જ વિમળેથર નામના દેવ પ્રસન્ન થયાં અને મંત્ર સિદ્ધિ થઈ. કહે છે કે સોમચંદુ રાજાને રીઝવવાની શકિત માગી હતી. સોમચંદુ પાટણના રાજ્ય દરબારમાં વિદ્વાનો સાથે બેસવા ઇચ્છતા હતા, વિદ્વાનોમાં અગ્રગણ્ય સ્થાન પ્રાપ્ત કરવા માગતા હતાં. તેને અનુલક્ષીને જ તેમણે આવું વરદાન માગ્યું હશે. એ વેળાના મહાન ગુજરાતમાં સરસ્વતીનું સ્થાન ખૂબજ ઊંચુ હતુ અને સ્વભાવિક રીતે જ મા શારદાના ઉપાસકો પણ સન્માનનીય ગણાતા હતા જેમચંદુ આવા અનેક વિદ્વાનોમાં અગ્રસ્થાન પ્રાપ્ત કરી શકયાં. ગુરુ દેવચંદ્રસુરિ હવે વૃધ્ધ થયાં હતાં. સોમચંદ્ માત્ર જ્ઞાની જ નહોતા, પ્રતિભા- વંત પણ હતા. હવે આચાર્ય પદ ધારણ કરવાની તેમનામાં શકિત હતી. તેમણે ધર્મ અને વિધાના સાચા ઉપાસક તરીકે ખ્યાતિ પણ પ્રાપ્ત કરી હતી. આચાર્ય થયા પૂર્વે ને ગુરુ શિષ્યનો એક મહત્વને પ્રસંગ જાણવા જેવી છે. એકવાર ગુરુ-શિષ્ય જઈ રહ્યા હતા ત્યારે થોડા કોલસાને જોઈને ગરુએ શિષ્યને પૂછ્યું, કે આ શું છે ત્યારે શિષ્ય જવાબ આપ્યો હતો કે
આ હેમ છે. આ વાત અન્ય રીતે પણ કહેવાય છે પાટણના શ્રેષ્ઠિ ધનદ શેઠને ત્યાં એક વાર સોમચંદુ તથા બીજા એક વૃધ્ધ મુનિ ગયાં ધનદ શેઠ એક ગરીબ માનવી માફક જીવતા હતા. સોમચંદ્ આનું કારણ પૂછ્યું. વૃધ્ધ મુનિએ જણાવ્યું કે કર્મની ગતિ ન્યારી છે. તેમની પાસે સુવર્ણ છે પણ તે કોલસો દેખાય છે અને દરિદ્રની
19.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org