________________
માનવમાંથી મહા માનવ બનાવી શકશે. આમ બાળક ગુરુ પાસે ખંભાતમાં જ રહ્યો. દેવચંદસૂરિ પાસેથી તે જ્ઞાન સંપાદન કરવા લાગ્યો. તે જ્યારે ૮ વર્ષને હતા ત્યારે સંવત ૧૧૫૪માં તેને દીક્ષા આપવામાં આવી, દીક્ષા બાદ તેનું નામ સોમચંદ્ રાખવામાં આવ્યું. આ દીક્ષા-ઉત્સવ મંત્રી ઉદયને કયો હતે અથવા તો તેમણે તેમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો.
બાળ સાધુ સેમચંદુ કુમળી વયે જ દિન પ્રતિ દિન જન દર્શનનાં અનેકવિધ પાસાઓનો અભ્યાસ કરે છે. જેના દર્શનમાં પારંગત બને છે. તેનું સવાંગી જ્ઞાન અને સર્વગ્રાહી વિચાર-શકિત નવાઈ પમાડે છે. તેમની યાદશકિત પણ ખૂબજ હતી. ન્યાય, અલંકાર શાસ્ત્ર, વ્યાકરણ તથા અધ્યાત્મનાં ગંથોને તેમણે ઊંડો અભ્યાસ તો કયો જ હતો પરંતુ મંથની બધી વિગતો પણ તે યાદ રાખી શકતાં હતાં. તેમના કુમા૨કાળના વષો કયાં કયાં વીત્યા તે માહિતી ઉપલધ્ય નથી. આપણે તેમની સિદ્ધિઓ પરથી એટલું જ કલ્પી શકીએ કે આ સમય વિધાભ્યાસમાં જ વ્યતીત થયો હશે. જો કે તેમના બાલ્યકાળનાં એક બે પ્રસંગે નોંધાયેલા છે.
બાલ્યકાળના એક પ્રસંગે તેમની વિદ્વતાના બાહ્ય જગતને દર્શન કરાવ્યા અને સાથોસાથ રાજાધિરાજ સિધ્ધરાજ જ્યસિંહની માતા મીનળદેવીની સહાનુભૂતિના પાત્ર બન્યા. બન્યું એવું કે તે સમયે દીગંબર મતના આચાર્ય કુમુદચંદ્ર સાથે દેવસૂરિની શાસ્ત્ર ચચાં યોજાઈ હતી. વાદી દેવસુર સાથે બાળક સાધુ સોમચંદ પણ ઉપસ્થિત રહ્યા હતા. કુમુદચંદ્ સાથેના વિવાદમાં દેવસુરિ જીત્યા. આ જીતમાં બાળક સોમચંદ્રને પણ થોડો ફાળો હતો, તે માતા મીનળદેવીના મનમાં વસી ગયું હતું. તપાગચ્છ પાવલિમાં જણાવ્યા પ્રમાણે આ વિવાદ વખતે તેમની ઉંમર ૩૬ વર્ષની હતી એટલે કે તેઓ આચાર્ય બની ચૂકેલા હતા અને તેઓ હેમચંદ્રાચાર્યે તરીકે ઓળખાતા હતા )
સોમચંદ્ર કાશી જઈને સરસ્વતી દેવીની આરાધના
18
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org