SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તમ બીજુ શું હોઈ શકે ! આ વાત પછી થોડો ગાળો વીતી ગયો. એક વેળા સુરિ પોતેજ સંઘના આગેવાનોને લઈને પાહિણીના ઘેર પહોંચી ગયા. પાહિણી સમક્ષ વિધિવત તેના પુત્રની માગણી કરી. . પાહિણી સમજતી હતી કે આ દિવસ વહેલા મોડા આવવાનો જ છે. પોતાના સદભાગ્ય હોય તે જ આ પત્ર રત્ન સરિજને સમપી શકાય. આવી શુભ ઘડી આવી પહોચી હતી. પાહિણી પુત્રને આપતા અચકાતી હતી કારણકે તે વેળાએ પતિ બહારગામ ગયેલો હતો. પરંતુ ધર્મના કામમાં ઢીલ ન થવી જોઈએ તે પ્રકારની સંઘની સમજાવટથી તે પુત્રને આપવા કબુલ થઈ.બાળક ચાંગને પણ પૂછવામાં આવ્યું તે તે ગુરુ સાથે ચાલી નીકળવા તત્પર હતો. ભારે હૈયે પાહિણીએ સંમતિ દશાવી. ધન્ય છે આ માતાને જેણે માતા તરીકેના અખૂટ પ્રેમને દબાવી રાખી, સર્વ જન કલ્યાણ અથે પુત્રને જવાની રજા આપી. ગુરુએ પાહિણીને સમજાવતા કહ્યું કે ઘાસની અણી પર રહેલા લબિંદુની જેમ જીવન ક્ષણિક છે. જન્મેલાનું મૃત્યુ નક્કી જ છે. મોહનો ત્યાગ કરવો જ રહ્યો. જીવનમાં ત્રણ વસ્તુ અતિ ખરાબ છે, પીછેહઠ કરવી, કાયરતા દાખવવી અને દિલચોરી કરવી. તારા માટે શ્રેય એ છે કે હિમત રાખીને, સામે ચાલીને દિલથી બાળક અમને સોંપી દે. બાળકને ઘરમાં રાખીને તું એનો વિકાસ રુંધી નાખીશ. આ બાળક મહાન થવા સજાવેલો છે. સરસ્વતીનો તે ઉપાસક થશે.ધર્મ -ચક પરિવર્તનમાં તે મહાન ભાગ ભજવશે. અને ગુજરાતના વિયમાં તે આગળ રહેશે. માતાએ બાળક ગુરુને અર્પણ કરી દીધો. પરંતુ તે વેળા બાળકના પિતાને આ વાતની કયાં ખબર હતી ? ચાચ વ્યાપાર યાત્રાએથી ધંધુકા પાછો ફર્યો. નાના બાળકને ઘરમાં ન જોયો પૃચ્છા કરતાંજ સઘળી હકિકત જાણવા મળી. બાળકને ગુરુ દેવેન્દ્રસુરિ લઈ ગયાં છે અને દીક્ષા આપવાના છે તે વાત જાણતા 16 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy