________________
હેમચંદ્રાચાર્ય. ચંગ અથવા ચાંગ એટલે સુંદ૨. માતાને ગર્ભ હતો ત્યારે સુંદ૨ સ્વપ્નો આવતાં હતાં તેથી જ ચંગદેવ નામ ૨ખાય હશે અથવા તો તેમના ચામુંડ ગોત્રના અક્ષર પરથી ૨ખાયું હશે તેવી શકયતા છે. બાળકના પિતા ચાચદેવ વ્યાપાર અથે અવારનવાર બહારગામ જતા હતા. માતા પાહિણી બાળકને લાડકોડથી ઉછેરતી હતી. બાળકમાં માત્ર સૌષ્ઠવ જ નહી પરંતુ સૌમ્યતા સાથે એક દિવ્ય કહેવાય તેવી આભા પણ હતી. જોતજોતામાં બાળક ચાંગ પાંચ વર્ષ થઈ ગયો. પુન. એકવાર દેવચંદસૂરિ ધંધુકા પધાયાં. માતા પાહિણી બાળકને લઈને ગુરુ વંદન કરવા ચાલી. દેવચંદસૂરિ ત્યારે દર્શને ગયાં હતાં. બાળક ચાંગદેવે આ તકે ગુરુની પાટ જોઈ અને તરતજ પાટ પર ગોઠવાઈ ગયો. દેવચંદસૂરિએ આવતાવે તજ બાળકને પાટ પર જોયો. વિદ્વાન અને ભવિષ્યવેતા એવા ગુરુએ બાળકની માતા પાહિણીને પોતાની પહેલાની ભવિષ્યવાણી યાદ દેવરાવી. પુત્ર રત્નો જન્મયો છે. હવે તેને અર્પણ કરવાની વેળા આવી ચૂકી છે. પાહિણીને તે પોતાને લાડકો પુત્ર પ્રાણ સમાન વહાલો હતો. ગુરુએ યાદ દેવરાવી તે સાથોસાથ જ તેના અણુએ અણુમાં જાણે ભય પ્રસરી રહ્યો. શું આ પુત્ર મારે આપી દેવાનો ? શું આટલા નાના ભોળા પુત્રથી આટલાં જલદી વિખૂટા પડવાનું? શું આટલી નાની ઉંમરે આ બાળક સાધુ થશે ? અરે રે મારા વહાલા સંતાન, પેટના જણ્યા વગર હું શી રીતે ક્વી શકીશ આવા વિચારો ઝડપથી તેના મનમાં આવી ગયા. તે ૨૩ ૨૩ થઈ ગઈ. દેવચંદસૂરિ તેના મનોભાવ ઓળખી ગયા. પાહિણી પણ એમને કઠણ હૃદયની હતી. શ્રેય અને પ માંથી કોની પસંદગી કરવી તે તે સારી પેઠે જાણતી હતી, વળી ગુરુની ભવિષ્યવાણી સાચી પડશે જ તેમ તે દઢ પણે માનતી હતી. પોતાનો પુત્ર આવા મહાન અધ્યાત્મ ગુરુને શિષ્ય બને અને સ્વ-પરનું કલ્યાણ કરે તેનાથી
15
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org