________________
અને વધુ મારપાળી છે. પહેલા એ સરીભા
માણ
કરતા તેઓ બે વર્ષ નાના હતાં. સિધ્ધરાજ નિઃ સંતાન અવસાન પામ્યો, તેના મૃત્યુ બાદ કુમારપાળ ગાદીએ આવ્યો. કુમારપાળે સંવત ૧૧૯૯થી ૧૨૩૨ દ૨મ્યાન રાજ્ય કર્યું (ઈ.સ 143- 175) આ રીતે હેમચંદ્રાચાર્ય બંને રાજાના દ૨બા૨માં ઉપસ્થિત રહ્યા અને બંને રાજાઓ પર પ્રભાવ પાડી શકયાં. તેમનાં પોતાના સ્વગેવાસ બાદ બે વર્ષે કુમારપાળ પણ મરણ પામ્યો . હેમચંદ્રાચાર્યની ગુરુ પરંપરા માટે નીચેના ઉલ્લેખો છે. પહેલા પૂર્ણતલ્લ નામના ગચ્છમાં શ્રીદતસૂરિ નામના આચાર્ય હતા તેમના શિષ્ય યશોભદ્રસુરિ જે યશોભદ્ નામના રાજવી હતા, તેમના શિષ્ય પ્રધુમનસુરિ જેમણે
સ્થાનક પ્રકરણ નામના ગ્રંથની રચના કરી છે, તેમના શિષ્ય ગુણસેનસુરિ અને તેમના શિષ્ય દેવચંદસૂરિ. આ દેવચંદસૂરિ તે જ હેમચંદ્રાચાર્યનાં ગુરુ.
ગુજરાતમાં ધંધુકામાં તેમનો જન્મ થયો હતો. જ્ઞાતિએ મોઢ વણિક. પિતાનું નામ ચાચિગ અથવા ચાંગદેવ હતું અને માતાનું નામ ચાહિણી ચા પાહિણી હતુ. દેવચંદસૂરિ એકવેળાએ વિહાર કરતાં કરતાં ધંધુકા આવ્યા. તેમને વંદન કરવા માટે પાહિણી ઉપાશ્રય ગયા. વંદન કયાં બાદ તેમણે પ્રશ્ન પૂછયો અને કહ્યું કે મેં રાત્રે સ્વપનામા એક ચિંતામણિ રત્ન જોયુ. આ રત્ન મને મળેલ હતુ પણ મેં તે આપને અર્પણ કરી દીધુ. આવું સ્વપ્ન કેમ આવ્યું હશે ! અને તેનો શું અર્થ હશે દેવચંદસૂરિએ સ્વપ્નને ફળાદેશ આપતા કહ્યું કે તમને ચિંતામણિ રત્ન સમાન પુત્રની પ્રાપ્તિ થશે. આ પત્ર તમે અમને સુપ્રત કરી દેવાના છો. ખરેખર તો તમે અમને એ પત્ર અર્પણ કરી દેજો. એ જ તમારા માટે યોગ્ય માર્ગે બની રહેશે. દેવચંદરિ મહા વિદ્વાન હતા, સામુદ્રિક અને જ્યોતિષ વિધાના જ્ઞાતા હતા. તેમના વચનોમાં પાહિણીને અપાર શ્રધ્ધા હતી. ગુરુના વચન પ્રમાણેજ પાહિણીને પત્ર રત્નની પ્રાપ્તિ થઈ. તેમની કૂખે વિક્રમ સંવત ૧૧૪૫ ની કાર્તિકી પૂર્ણિમાએ એક પુત્રને જન્મ થયો. તેનું નામ ચાંગદેવ રાખવામાં આવ્યું. આ ચાંગદેવ તેજ
14.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org