________________
યુગમાં પણ રાજકિય ક્ષેત્રે થોડી અંધાધુંધી તો હતીજ. મહારાજા સિધ્ધરાજ જયસિંહના ગુજરાતને સમજવા માટે, કુમારપાળના સમયમાં લોક વન કેવુ હતું તે જાણવા માટે હેમચંદ્રાચાર્યના ગ્રંથો અમૂલ્ય વાંચન પુરૂ પાડે છે.
મહર્ષિ ભારદ્વાજના વંશજો જેઓ સૂર્યને પોતાના ખોબા વડે અંજલિ અપતા તે મહામાનવોમાંથી સોલંકી વંશ ઉતરી આવ્યો છે. ખોબાને ચુલુક કહેવાયછે તેથી આ રીતે અંજલિ આપનાશ ચૌલુકય કહેવાયાં હતાં. ચૌલુકયનું અપભ્રંશ સોલંકી થયુ હોય એમ મનાય છે. હ્રયાશ્રય ગ્રંથ સોલંકી વંશના રાજવી મુળરાજથી શરૂ થાય છે. મુળરાજ અણહિલપુ૨માં રાજવી હતો. પ્રતાપી મૂળાજે શ્રીમાળ ભિન્નમાળના રાજા સાહરિપુને હરાવ્યો હતો. મૂળાનો પુત્ર ચામુ · શુશીલ અને વિધામી હતો. ચામુડે લાઢના રાજા દ્વારપને હરાવ્યો હતો. ચામુડના પુત્રો હતા- વલ્લભસેન, દુલભસેન અને નાગરાજ. વલ્લભસેન અને દુર્લભસેન બંનેએ થોડો થોડો સમય રાજ્ય કર્યું. પછી નાગાનો પુત્ર ભીમદેવ યુવાન વયે ગાદીએ આવ્યો. ભીમદેવના સમયમાં મહંમદ ગઝનીએ ગુજરાત પર ચડાઈ કરી, પ્રભાસ પાટણ પર હુમલો કરીને સોમનાથના પવિત્ર મંદિરનો નાશ કર્યો. પવિત્ર લીંગનો ભૂક્કો બોલાવીને મંદિરોની કરોડોની મિલ્કત તે ગઝની લઇ ગયો.
ભીમ પછી તેનો નાનો પુત્ર કર્ણે ગાદીએ આવ્યો. ભીમના મોટા પુત્ર ક્ષેમરાજે ગાદીનો અસ્વીકાર કર્યો હતો. નાનો ભાઈ કર્ણ ચંદ્રપુરના મયકેશીની પુત્રી મયણલ્લા (મીનળદેવીને પરણ્યો હતો. કર્ણ તથા મીનળદેવીનો પુત્ર તે જ સિધ્ધરાજ જયસિંહ. સિધ્ધરાજનો રાજ્યકાળ સંવત ૧૧૫૦થી ૧૧૯૯ નો મનાય છે. તે માત્ર આઠ વર્ષની નાની વયે ગાદીએ આવેલો તેથી તેનો સમય ઇ.સ. 1086 થી 1143નો થવા જાય છે.
હેમચંદ્રચાર્યનો જન્મ ઇ.સ. 1088માં થયો હતો. સિદ્ધરાજ
Jain Education International
For Private & Personal Use Only
13
www.jainelibrary.org