________________
સ્તવનો છે. સકલાહત સતોત્ર કે મહાદેવ સ્તોત્ર જેવી એક બે રચનાઓ વાંચનાર જ કહી શકશેકે આ કોઈ મહાન કવિની કૃતિઓ છે. હયાશ્રય જેવો ગ્રન્થ માત્ર ઈતિહાસ જ નથી તેમાં વ્યાકરણની ચમત્કૃતિ પણ છે. હેમચંદ્રાચાર્ય વિધાદેવીના ઉપાસક હશે પણ શબ્દોના તે સ્વામી હતા એમના આપેલા સંસ્કારની સુવાસ અને ભાષાની મીઠાશ હજીયે ગુજરાતની હવામાં વિધમાન છે. એમના સાહિત્ય ગુજરાતને સદીઓ સુધી પ્રેરણા આપી. કાવ્ય અને વ્યાકરણના ગળ્યોથી ગુજરાતને તેમણે ભારતમાં અગ્રસ્થાન અપાવ્યું.
ધૂમકેતુ કહે છે કે સોલંકીઓનો ઈતિહાસ હેમચંદ્રાચાર્ય વિના લડાઈનો ઈતિહાસ બની જાય. હેમચંદ્રાચાર્ય વિના ગુજરાતી ભાષાનો ઈતિહાસ અપૂર્ણ અને અકિંચન બની જાય. હેમચંદ્રાચાર્ય વિના ગુજરાતની પાસે દુનિયાના સાહિત્ય ઈતિહાસમાં મુકવા યોગ્ય વ્યકિતએ બહુ ઓછી છે. હેમચંદ્રાચાર્યનું વિશિષ્ઠ પ્રદાન એ હતું કે તે પ્રજાજીવનને ઓળખીને પ્રજાની સાથે, સમયની સાથે રહ્યા. તેઓ માત્ર સાધુ તરીકેજ ઉપાશ્રયમાં રહીને ધર્મ સાધના કે સાહિત્ય સાધના નહોતા કરતા, તેમણે તે રાજ્ય દરબારમાં હાજર રહીને ગુજરાતના તત્કાલીન રાજકીય પ્રવાહો પણ બદલી નાખ્યા હતા. ગુજરાતના સામાજિક જીવન પર તેઓ છવાઈ ગયા હતા. અહિંસા અને અમારિ પવનની ભાવનાએ ગુજરાતની પ્રજાના ખાનપાન પ૨ પણ મોટી અસર કરી. આમ રાજકિય, સામાજિક, ધાર્મિક ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનો આપ્યા. આમ તેમની પ્રવૃત્તિઓ અને અહિસાનો પ્રચાર માત્ર જન ધમક જન શ્રાવકો પૂરતો મયૉદિત ન રહો પણ સમસ્ત ગુજરાતને આવરી રહ્યો. ગુજરાતનો આપણે તે કાળનો ઈતિહાસ જોઈએ તે સોલંકીયુગ સુવર્ણ યુગ સમાન હતો અને વળી તે વેળા ગુજરાતની રિદ્ધિ સિદ્ધિ માં વધારો થયો. ગુજરાતની પ્રજામાં એકતાની ભાવનાની સાથોસાથ વ્યવસ્થિત સ્વરૂપે કલા કારીગરી અને સાહિત્યનો વિકાસ થયો. આવા સુવર્ણ
12
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org