SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન હેમચંદ્રાચાર્ય એટલે ગુજરાતી ભાષાના પિતામહ. ગુજરાતી ભાષાના ઈતિહાસનો અભ્યાસ હેમચંદ્રાચાર્ય વિના અધૂરો જ બની રહે. એમના પ્રચંડ પ્રભાવશાળી વ્યકિતત્વે ગુજરાતની સંસ્કારિતાને જાગૃત કરી છે. એમણે ગરવી ગુજરાતી પ્રજાના ગુણોમાં જળસિચન કર્યું. અહિંસા, પમ અને શુધ્ધ વ્યવહાર નીતિના ઉચ્ચ આદશોના તે ઘડવૈયા હતા. ગુજરાતના મહાન રાજવી સિધ્ધરાજ જયસિંહનો ઇતિહાસ અને એવાજ બીજા મહાન રાજNિ કુમારપાળનો ઇતિહાસ તેમના મંગળ પ્રભાવના સાક્ષી છે. એક મહાન વ્યકિત, એક સાધુ હેમચંદ્રાચાર્યે માત્ર જન ધમેનેજ પથાર નથી કયો. તેમને જન સાધુ માનવા તે ભૂલ ભર્યું બની રહેશે. આજના ગુજરાતની ભાષા, વિધા અને કલા પ્રત્યેનો પ્રેમ જે કંઈ છે. આજના ગુજરાતની જે અસ્મિતા છે તે તેમને મહદ અંશે આભારી છે. હેમચંદ્રાચાર્ય માત્ર ભાષા વિષેનાં પુસ્તકો જ નહી પરંતુ કાવ્યશાસ્ત્ર અને છંદશાસ્ત્રનાં પુસ્તકો પણ આપ્યા છે એક અતિ મહાન સાધુ હોવાથી તેમણે નીતિ વિષયક, ધમૅ વિષયક પુસ્તકો આપ્યાજ છે પરંતુ એમાંય યોગ વિશે તેમણે અતિ ઉપયોગી ગ્રંથ લખ્યો છે. તેમના સમયનાં રાજકારણના પ્રવાહને ઓળખીને તેમણે દ્વયાશ્રય જેવા અદભૂત ગ્રન્થની રચના કરી. શા થી 3 લાખ શ્લોકોમાં આવે તેટલી વિશાળ સામગી ૨ચનારા આવા મહાન વિભૂતિ ઈતિહાસમાં અદ્વિતિય છે. આટલું ઉડ સંશોધન, સંકલન કરીને ગુજરાતની જનતા સમક્ષ આવા દળદાર ગ્રન્થો મૂકયાં તે નાની સુનીસિધ્ધિ તો ન જ કહેવાય, વળી આ ગ્રન્થોમાં તેમની વિદ્વતા અને કવિત્વ શકિતત દેખાઈ જ આવે છે. પ્રભુ સ્તુતિના પણ અનેક સ્તોત્રો 11 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy