SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ શકાય છે. મંડળ શું છે તેનો આકાર કેવો હોય છે. તેનું સ્થાન કયાં છે અને મંડળમાં કેવા કેવા પ્રકારનાં વાયુ ચાલે છે તેનું પૂજ્ય આચાર્યશ્રી વર્ણન કરે છે. કયા વાયુના વહન વખતે કેવા કામ કરવા . આ માહિતી આપ્યા બાદ વાયુનું શુભાશુભ ફળ અને નાડીઓના લક્ષણ પણ દશાંવ્યા છે નાડીનો ઉદય અને અસ્ત કેવી રી તે થાય. કાળ જ્ઞાન શું છે. મૃત્યુ થવાનું હોય તેના લક્ષણે. મૃત્યુ કયારે થાય, આયુષ્ય જ્ઞાન શી રી તે થાય. કાળ જ્ઞાન. શુકન, યંત્ર દ્વારા કાળ સ્વરુપ, યંત્રનો પ્રયોગ, કાર્યસિદ્ધિનો ઉપાય, બિંદુને જોવાનો ઉપાય, ચાલતી નાડીને રોકવાનો, બીજી નાડી ચલાવવાનો ઉપાય નાડી શોધન, નાડી વિશુદ્ધિ, વેધ કરવાની રીત. પરકાયા પ્રવેશ વગેરે વિષયો પૂજ્ય આચાર્યશ્રી એ ચચ્યો છે. ઉપરોક્ત વિષયો સામાન્ય માનવીની સમજ બહારના છે એટલું જ નહીં પણ તેની સમજ મેળવવા પ્રથમ તે યોગમાર્ગના આરાધક બનવું પડે. યોગ્ય ગુરુ પાસે જ આ વિદ્યા શીખી શકાય. નાડી જ્ઞાન અને કાળ જ્ઞાન ગહન વિષયો છે. સમજ્યા વગર પ્રયોગ કરવાથી લાભને બદલે નુકશાન થવાનો સંભવ વિશેષ છે. કાળ જ્ઞાન વિષેના અને મૃત્યુની આગાહીંના શ્લોકોનો અનુવાદ પણ અત્રે રજૂ કરવાનું ઉચિત નથી કારણકે આનાથી વહેમમાં પડી જવાય અને ભય લાગે તેવી શક્યતા છે તેથી આ જ્ઞાન સાધકો માટે જ રાખીએ. અધ્યાત્મ માર્ગના પ્રવાસીને આ દિશામાં જવું સર્વથા જરુરી નથી. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રને શાસ્ત્રજ્ઞાન તરીકે જ ઓળખાવે છે. પરકાયા પ્રવેશ જેવી વિધા શાધકો માટે યોગ્ય નથી તેવું વિધાન તેઓ પોતે જ કરે છે. સમતાભાવની પ્રાપ્તિ રાગદ્વેષમાંથી મુક્ત થવાય તે થાય જ છે. અને સમતાભાવની ઉચ્ચ સ્થિતિએ પહોંચનાર માનવી પ્રાણાયામ વગર જ મનને જીતી શકે છે. છઠ્ઠા પ્રકાશછઠ્ઠા પ્રકાશમાં શબ્દ, ૫, ગંધ, રસ, અને સ્પર્શ એ પાંચ વિષયોમાંથી મનને ખેંચી લઈને, શાંત બુદ્ધિવાળાએ ધર્મધ્યાન કરવામાટે મનને નિશ્ચલ રાખવું એમ કહેવાયું છે. ઈન્દ્રિયોના પાંચ વિષયો છે. શ્રવણ, ચક્ષુથી જોવું તે, સુંઘવું, ચાખવું અને સ્પર્શનો અનુભવ કરવો. આ પાંચેય વિષયમાં સારાપણુ અને 147 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy