________________
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તેમાં મોક્ષ સૌથી અગત્યનો છે અને મોક્ષ મેળવવા માટે યોગ કારણભૂત બની શકે છે, યોગ એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્રનો સુમેળ. મહર્ષિ ઉમાસ્વાતિએ તત્વાર્થ સૂત્રમાં કહ્યુ છે કે ઃ 'સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રાણિ મોક્ષ માર્ગ' અત્રે તેજ વાત જૂદી રીતે કહેવામાં આવી છે જ્ઞાન. દર્શન ચારિત્રથી યોગની પ્રાપ્તિ થાય છે અને યોગ દ્વારા મોક્ષ પ્રાપ્તિ થાય છે.ગ'થમાં જ્ઞાન યોગ, દર્શન યોગ અને ચારિત્ર યોગ એમ પ્રાથમિક વર્ગીકરણ કર્યું છે. જ્ઞાન યોગ એટલે તત્વનું સ્વપ જાણવુ તે. જીવ-અજીવનું સ્વરૂપ, સ્થાવર અને ત્રસ જીવો. ત્રસ જીવોમાં બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પાંચ ઇન્દ્રિય જીવો આવે. સ્થાવરમાં પાણીના જીવો અગ્નિનાં જીવો, વાયુનાં જીવો, વનસ્પતિના જીવો આવી જાય. તેઓ સ્થિર હોય છે. સ્થિરનો અર્થ અહીં સ્થાવર નામ કર્મ વાળા જીવ ગણાય છે.
.
અજીવ તત્વમાં ધમાઁસ્તિકાય, અધમમાંસ્તિકાય, આકાશ, કાળ અને પુદગલ એમ પાંચ પ્રકારો છે. જીવને ચેતના અને ઉપયોગ હોય છે. અજીવ અચેતન હોય છે. ગતિમાં સહાયક નિર્જીવ પદાર્થ -વાતાવ૨ણ-તેનું નામ ધર્માસ્તિકાય. સ્થિર રહેવામાં સહાયક પદાર્થ તે અધમૉસ્તિકાય. આકાશ એટલે જગ્યા. દરેક પદાર્થ જગ્યા રોકે છે આકાશ તત્વ પદાર્થને અવગાહના આપે છે, જગ્યા આપે છે. કાળ પણ એક પદાર્થ છે. કાળના અણુઓ હોય છે. અણુઓની ગતિ એટલે સમય. આકાશના સર્વ પ્રદેશમાં કાળના અણુ વ્યાપ્ત છે. પુદગલમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ હોય છે. અજીવ તત્વમા માત્ર પુદગલને જ રુપ છે બીજા અરુપી છે. પુદગલ ના વિવિધ સમુહોવર્ગણા-જીવને વળગે છે તેને કર્મબંધ થયો કહેવાય છે. વિવિધ પ્રકારની કર્મ વર્ગણાઓ આત્માને કલુષિત કરે છે. મન,વચન અને કાયાની પ્રવૃત્તિઓથી કર્મ વર્ગણા આત્મા તરફ ખેંચાય છે. આત્માનીં આવી કલુષિતતાને કર્મ તરીકે ઓળખાવાય છે. જીવ અજીવનું અને કર્મબંધનનું સાચુ જ્ઞાન પ્રાપ્ત કરવું તે જ્ઞાન
યોગ.
Jain Education International
For Private & Personal Use Only
131
www.jainelibrary.org