SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ હતી.સતત ઉપસર્ગ કરનાર સંગમ પર તેમને દયા જ આવી, અરેરે આ સંગમ બિચારો મને દુખી કરવાના પ્રયત્નોમાં પોતે જ કેટલો દુખી થઈ ગયો. મહાવીરની આંખો કરુણા ભીની બની. અપરાધ કરવાવાળા જીવો પ્રત્યે પણ કૃપા દાખવનાર વીર જિનની આચાર્ય સ્તુતિ કરે છે. યોગની કદાચ આ સૌથી મોટી લબ્ધિ છે. મહાવીર સ્વામીના જે જે ગુણોને અહીં વાંદવામાં આવ્યા છે તે યોગ માર્ગના સાધકને અંતિમ સાધ્ય છે તેમ ગણાય.. ગ્રંથમાં આગળ જતાં આચાર્યશ્રી યોગની અન્ય લબ્ધિઓ પણ વર્ણવે છે. યોગથી પાપનો નાશ તે થાય જ છે પણ યોગ એક ઓષધિયે છે. તેનાથી વાત પિત્ત અને કફનું શમન થઈ શકે છે. યોગથી જે ચમત્કારિક લધ્ધિઓ થાય છે તે પણ તેમણે કહી છે. : યોગથી આકાશમાં ચાલવાની લબ્ધિ, નિગ્રહ-અનુગ્રહ કરવાની લબ્ધિ, અવધિ તથા મનઃ પયાંય જાણવાની લબ્ધિ એ સઘળી યોગપી કલ્પવૃક્ષની વિકસિત એવી પુષ્પોની શોભા છે. યોગથી ભરત ચક્રવતિને આરિલાભુવનમાં કેવળજ્ઞાન થયુ મરુદેવી માતા મોક્ષ પદ પામ્યાં. દઢ પ્રહારીને પાપમાંથી મુક્તિ મળી. પાપ કરનાર શિલાતિપુત્ર પણ પાપકર્મમાંથી મુક્તિ મેળવી શકો એવા યોગનો મહિમા વર્ણવતાં આચાર્યશ્રી કહે છે કે ચતુવેગેડગ્રણીમ, યોગસ્તસ્યચ કારણમ્ | જ્ઞાનશ્રદ્ધાનચારિત્ર, પંરત્નત્રયં ચ સઃ || 180 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy