________________
યોગ-શાત્ર
યોગ શાસ્ત્ર ગ્રંથ શ્રી હેમચંદ્રાચાર્યે ચૌલુકય વંશના કુમારપાળ રાજાની અતિ આગ્રહ ભરી વિનંતિથી ૨ચ્યો છે તેમ આ ગ્રંથમાં છેલ્લે આચાર્યશ્રી પોતે જ જણાવે છે. કુમારપાળને યોગ સંબંધી થોડી ઘણી માહિતી અન્ય ગ્રંથો પરથી મળી હતી. પરંતુ યોગનો સવાંગી ખ્યાલ મેળવવા માટે તેણે આચાર્યશ્રીને વિનંતિ કરી હતી. અને તેથી જ તેમણે આ ગ્રંથની રચના કરી હશે. કુમારપાળ ચરિત્રમાં પણ દર્શાવેલ છે કે કુમારપાળે યોગશાસ્ત્ર કંઠસ્થ કર્યું હતું. યોગશાસ્ત્રમાં બાર પ્રકાશ અથવા પ્રકરણ છે. મૂળ ૧૨૦૦ શ્લોક છે. યોગશાસ્ત્ર અને વીતરાગ સ્તોત્ર એ કુમારપાળની માનીતી ૨ચના હતી. યોગશાસ્ત્રના સ્વાધ્યાય બાદ જ તે પોતાની દૈનિક ક્રિયાઓ આરંભતો હતો. ગ્રંથની શરુઆતમાં જ આચાર્યશ્રી મહાવીર સ્વામીને ભાવપૂર્વક વંદન કરે છે :
नमो दुर्वाररागादि, वैरिवार-निवारिणे । अर्हते योगिनाथाय, महावीराय तायिने ॥१॥
=ઘણી મહેનતથી દૂર કરી શકાય તેવા રાગ વગેરે શત્રુઓના સમુહનું નિવારણ કરનાર અહંત, યોગીઓના નાથ અને રક્ષણ આપનાર મહાવીર પ્રભુને હું નમન કરું છું
મહાવીર સ્વામી યોગીઓના નાથ છે. યોગ વિષેના ગ્રંથમાં પ્રથમ નમન યોગીઓનાં નાથને જ હોય. આ યોગીનાથે રાગાદિ શત્રુઓને હણ્યાં છે. યોગની સિદ્ધિ આ જ હોઈ શકે. યોગથી સમદષ્ટિ અને કરુણા આવે છે તેથી બીજા શ્લોકમાં મહાવીર સ્વામીની સમદષ્ટિ અને કરુણાનો ઉલ્લેખ છે.
મહાવીરના ચરણને સ્પર્શ કરનારા બે હતાં, એક ચંડ કૌશિક જેણે ચરણસ્પર્શ કર્યો પણ દંશ દીધો અને બીજા ઈન્દુ જેમણે ચરણને સ્પર્શ કરીને વંદન કયાં. બંન્નેના સ્પર્શ પાછળ ભાવ અલગ અલગ હતાં. ચંડ કૌશિકમાં ક્રોધ હતો, ઈષ્યોની આગ અને વેદના વિષ હતાં. ઇન્દુ દેવનાં મનમાં ભક્તિભાવ હતો પરંતુ બંન્ને પ્રત્યે મહાવીર સ્વામીએ સમાન દષ્ટિથી જોયું. તેમની કરુણા અપાર
www.jaineli 129.org
Jain Education International
For Private & Personal Use Only