SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ બહમાનું વાહન હંસ છે, મહેશ્વરનું વાહન વૃષભ છે. વિષ્ણુનું વાહન ગરુડ છે તો એક મૂર્તિ કઈ રીતે કહેવાય ? બહમા પદમહત્ત્વ છે હાથમાં કમળ છે ) મહેશ્વર શૂલપાણિ (હાથમાં ત્રિશુલ વાળાંછે , વિષ્ણુ ચક્રપાણિ છે તો એક મૂર્તિ કઈ રીતે કહેવાય ? બહમા સટ્યુગમાં જનમ્યાં હતાં. મહેશ્વર ત્રતામાં અને વિષ્ણુ દ્વાપરમાં થઈ ગયાં તે એક મૂર્તિ કઈ રીતે ? ઉપરનાં પ્રશ્નોનાં જવાબમાં નીચેનો શ્લોક છે ज्ञान विष्णुः सदा प्रोक्तं ब्रह्मा चारित्रमुच्यते । सम्यक्त्वं तु शिवः प्रोक्तमहन्मूर्तिस्त्रयात्मिका ।। ३३ ।। =જ્ઞાન સદાયે વિષ્ણુ કહેવાય છે, ચારિત્ર બહ્મા કહેવાય છે. સમ્યકત્વ એ શંકર છે આમ ત્રણેય અહંત મૂર્તિઓ વિવિધ સ્વપધારી છે. પુરાણોમાં મહાદેવનાં આઠ સ્વલ્પો વર્ણવ્યા છે આ આઠ તે પૃથ્વી, પાણી, પવન, હુતાશન, યજમાન, આકાશ સોમ તથા સૂર્ય છે. આ આઠ પદાર્થોને હેમચંદ્રાચાર્ય આઠ ગુણોમાં નિપે છે. ક્ષમા તે પૃથ્વી છે, નિર્મળતા તે જળ છે, નિસંગીપણું તે વાયુ છે (રાગ દ્વેષ રહિત હોવું તે વાયુ સમાન છે યોગ છે તે હુતાશન અગ્નિ છે. આત્મા પોતે યજમાન છે તપ, દાન, દયાથી આત્મા યજમાન બને છે સૌમ્ય મૂર્તિ સ્વરૂપ તે ચંદ્ર છે અને જ્ઞાનનો પ્રકાશ તે સૂર્ય છે આમ આઠેય ગુણોનું શંકરમાં આરોપણ છે. મહેશરને આચાર્યશ્રી અહંત પણ કહે છે. અને દર્શનમાં અહંતુ એટલે શ્રી વીતરાગ પ્રભુ. અરિહંત કે તીર્થકર એમ કહે છે. અત્રે અરિહંતની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે. अकारेण भवेद्विष्णू रेफे ब्रह्मा व्यवस्थितः । हकारेण हरः प्रोक्तस्तस्याऽन्ते परमं पदम् ।। ३९ ॥ =આદિ અક્ષર "અકારથી વિષ્ણુ થાય છે જેથી બ્રહ્મા થાય છે "હકારથી હર શંકરુ થાય છે તેના અંતે આવેલ બિંદુ તે પરમ તત્વ યાને મોક્ષ છે. 127 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy