________________
જૈન દર્શન સાથેનું સામ્ય નીચેના શ્લોકમાં દષ્ટિગોચર થાય છે.
___ एकमूर्तिस्त्रयो भागा ब्रह्मविष्णुमहेश्वराः ।
त एव च पुनरुक्ता ज्ञानचारित्रदर्शनात् ।। २० ॥
એક જ સ્વરુપનાં ત્રણ ભિન્ન ભિન્ન ભાગ છે અને તે છે બહમા, વિષ્ણુ અને મહેશ્વર. આ ત્રણેયને શબ્દાન્તરે જ્ઞાન, દર્શન અને ચારિત્રથી ઓળખી શકાય છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એક જ મૂર્તિ હોવા છતાંયે જૂદા જૂદા ત્રણ મૂર્તિમંત અંશો છે
હવે નીચેનાં પ્રશ્નો દ્વારા આચાર્ય બહમા, વિષ્ણુ અને મહેશ વિષે પૂછે છે અને અને તેને ઉત્તર તેઓ પોતે જ આપે છે.
કાર્યનું ફળ વિષ્ણુ છે, ક્રિયા બહ્મ છે, કારણ મહેશ્વરી છે તો કાર્ય કારણ સંપન્ન એકમૂર્તિ કઈ રીતે હોઈ શકે ?
બહમાના પિતા પ્રજાપતિ છે. માતા પદમાવતી છે જન્મ નક્ષત્ર અભિજિત છે, વિષ્ણુના પિતા વસુદેવ છે, માતા દેવકી છે, જન્મ નક્ષત્ર રોહિણી છે.. શંકરના પિતા પેઢાલ છે, માતા સાયકી છે, જન્મ નક્ષત્ર મૂળ છે
આમ ત્રણેમાં માતા પિતા અલગ અલગ છે, જન્મ નક્ષત્ર અલગ અલગ છે તે ત્રણેયને “એક મૂર્તિને કઈ રીતે ગણી શકાય ?
બહમાને વર્ણ ૨ક્ત લાલ છે. વિષ્ણુનો વર્ણ કૃષ્ણ (કાળી છે અને મહેશરનો શ્રેત છે તે એક મૂર્તિ કઈ રીતે કહેવાય
બહમા અક્ષસૂત્રી છે (અક્ષનું લાંછન છે. મહેર ત્રિશુળના લાંછન વાળા છે. વિષ્ણુ શંખ ચકથી ઓળખાય છે તે એક મૂર્તિ કઈ રીતે કહેવાય ?
બહમા ચતુર્મુખ છે. મહેશર ત્રિનેત્રી છે. વિષ્ણુ ચતુર્ભુજ છે તો એક મૂતિ કઈ રીતે કહેવાય ?
ખભાનો જન્મ મથુરામાં થયો હતો. મહેશરને રાજગૃહમાં થયો હતો, વિષ્ણુનો દ્વારિકામાં થયો હતો તે એક મૂર્તિ કઈ રીતે કહેવાય ?
126
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org