________________
=જેમણે મહત્વથી મહિમાથી, ઐશ્વર્યથી, મહેશરપણુ પ્રાપ્ત કર્યું છે, રાગ દ્વેષથી રહિત છે એવા મહેશર રુપે ઓળખાનારા દેવને હું વંદન કરું છું
મહેશ્વ૨પણ પ્રાપ્ત કઈ રીતે થાય ? પોતાના મહિમાથી અને ઐશ્વર્યથી અને રાગ દ્વેષના શમનથી એટલે આવા ગુણો અને ભાવોથી યુકત એવા મહેશ્વરને વંદન હોજો
આચાર્યશ્રી ત્યારબાદ મહા-દેવની વ્યાખ્યા દશૉવતાં શ્લોકો રજૂ કરે છે
જેનામાં લોકાલોકને પ્રકાશ કરનારું મહાજ્ઞાન હોય, મહા દયાળ હોય, મહા ઈન્દ્રિય નિગહ હોય, મહાન પ્રકારનું ધ્યાન હોય, અંતરંગ શત્રુઓને હણનારા મહા વિજેતા હોય તે મહાદેવ કહેવાય છે. મહા મદને તેમણે વિવજિત કરેલ છે, મહાલોભથી વિનિમુક્ત છે. મહાગુણથી સમન્વિત છે તે મહાદેવ કહેવાય છે. મહા શગ. મહા દ્વેષ, મહા મહિને હણનાર મહાદેવ કહેવાય છે. મહા કામને તેમણે જીતેલ છે. મહા ભયથી વિવર્જિત છે. મહા વ્રતના ઉપદેશક છે તે મહાદેવ કહેવાય છે. તેમાં મહા આનંદ છે, તેઓ મહાજ્ઞાની છે, મહાયોગી છે , મહાન તપ કરનારા છે તથા મહામીની અને મહા પરાક્રમી પણ છે. તેઓ મહા વૈર્યવાન છે. મહા શીલ છે મહા ગુણી છે. મહા ક્ષમાવાન છે તે મહાદેવ કહેવાય છે. આમ બ્લોક નં ૭થી ૧૩ સુધીમાં મહાદેવના વિશિષ્ઠ અર્થો અને ગુણે દશાવીને આચાર્યશ્રી તેમની પ્રશંશા તથા સ્તુતિ કરે છે.
હેમચંદ્રાચાર્ય શિવ તથા જિન બન્ને એક જ છે તેમ દશાવવાનો નમ્ર પ્રયાસ કરે છે. નીચેનો શ્લોક તેનું સુંદર ઉદાહરણ
परमात्मा सिद्धिप्राप्तौ बाह्यात्मा तु भगन्तरे।
अन्तरात्मा भवेद्देहे इत्येष त्रिविधः शिवः ॥ १८ ॥
સિદ્ધિ મળવાથી પરમાત્મા (સિદ્ધ ગતિ-મોક્ષ મળે તે અવસ્થા તે સિદ્ધ અથવા પરમ-આપ્ત અવસ્થા.) ભવાંતરે (એક ભવથી બીજા ભવમાં ભમણે ) બાધાન્યા અને અંતર દેહથી અંતરાત્મા આમ ત્રણ પ્રકારે શિવ કહેવાય છે. ઉપરોક્ત કથન તીર્થકરને પણ એ જ રીતે લાગુ પડે છે.
125
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org