SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ દીનતાને કઈ રીતે સંભવે ? પ્રભુના શરણે આવેલો પરમ ભક્ત હવે તે એટલું જ માગે કે મારી ઉપેક્ષા ન કરશો. "મા મંચ " હવે તજી દેશો નહીં અઢારમાં પ્રકાશમાં પ્રભુને ઓળખવાનો પ્રયત્ન કરે છે. આ પ્રભુ વીતરાગ દેવ છે તેમને કઈ રીતે ઓળખવા ? ઘણા પ્રયત્ન પણ અલ્પ મતિવાળો તેમને ઓળખી શકતો નથી. સાધારણ મનુષ્યના મનમાં ન બેસે તેવી અસાધારણ વાતથીજ બુદ્ધિશાળી જનો તેમનો પરિચય મેળવી શકે અલ્પ મતિવાળાને તે ભગવાનનું સ્વરુપ ગાધ જ નથી કારણકે જગત દોધ, લોભ અને ભયથી વ્યાપ્ત છે. . ઓગણીશમાં પ્રકાશમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય તેમની આ અદભૂત રચના દ્વારા જૂદી જ ભૂમિકાએ લઈ જાય છે. પ્રથમ શ્લોકમાં કહે છે કે હે નાથ, હુ આપના દિલમાં વસુ એતો દુર્લભ છે પણ આપ જ મારા દિલમાં વસે, મારે આથી વિશેષ કંઈ જોઈતું નથી. અન્ય દેવી ગુસ્સે થાય ત્યારે શ્રાપ પણ આપે છે અને ખુશ થાય ત્યારે વરદાન આપે છે. આપ એવા ઢંઢમાં પડતાં નથી. આપનામાં રાગ દ્વેષનો અભાવ છે તેથી આપ પ્રસન્ન થાય અને મોક્ષનુ ફળ આપો એવી કલ્પના હું કરતો નથી પરંતુ એટલું તો નાથ હું અવશ્ય માનું છું કે આપનામાં મૂકેલી દઢ શ્રદ્ધા અને અખૂટ ભક્તિ કલ્પવૃક્ષની જેમ ચોક્કસ ફળદાયી નીવડે છે. જન ધર્મ સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરે છે તેની પાછળ તેઓ વરદાન આપે તેવી ભાવના તે હોતી નથી. મોક્ષ ગતિને પામેલ એ ભવ્યાત્મા અનંત અવ્યાબાધ સુખમાં સ્થિર છે. તેમને કોઈ સ્વપ નથી, વર્ણ નથી. નથી મનના ભાવો કે ઇચ્છાઓ. આવા સિદ્ધ ભગવંતની સાચી ઉપાસના કઈ રીતે થાય ? હેમચાર્ય અનન્ય ભાવે પ્રભુનું શરણ સ્વીકારે છે. છતાંયે સંસારી મનુષ્યોને નીચેના શ્લોકો દ્વારા અમૂલ્ય બોધ આપે છે. बोतराग! सपर्यातस्तवाज्ञापालनं परम् । आज्ञाऽऽराद्धा विरादा च शिवाय च भवाय च ।। ४ ।। =હે વીતરાગ, આપની સેવા કરતાં આપની આજ્ઞાનું પાલન પરમ કલ્યાણવંતુ છે. આજ્ઞા પાલનથી મોક્ષ છે અને ઉત્થાપનથી ભવ-બંધન છે. 121 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy