________________
=જે ભૂમિમાં આપના ચરણના નખના અંશો ચિરકાળ ચુડામણિ રુપ પ્રસ્થાપિત થયાં છે તે ભૂમિને નમસ્કાર. આથી વધારે અમે શું કહીએ ?.......
હવે સોળમા પ્રકાશમાં આચાર્યશ્રી ભગવદ ભક્તિના એક અંશરૂપ તત્વ તે આત્મ નિંદા તત્વનો આશ્રય લે છે "આ જીવ અનાદિ ભવભમણમાં અથડાઇ રહ્યો છે. વાસનાના વમળીમાં ફંગોળાઇ રહ્યો છે. શગ રૂપી સર્પના વિષથી તે વ્યાપ્ત છે અને ક્રોધાદિકથી મર્કટની જેમ તે નાચ્યો છે ધર્મ માર્ગને જાણવા છતાં, આળખવા છતાયે મૈ મારી સર્વ
પ્રવૃત્તિઓ ધર્મ તરફ વાળી નથી, મોહ અને ચારિત્રના માશ ત્રણ રત્નોને હરી
રુપી ચોરી જ્ઞાન, દર્શન જાય છે. :
તે બાદ સાતમા શ્લોકમાં કહે છે- ભ્રાન્તઃ તીથાંનિ દુષ્ટત્ત્વ મયા
એકઃ તેજુ તારકઃ =હું બહુ તીથો'માં ભમ્યો તેમાં એક તમને જ મેં તારક જોયાં.
રાગ દ્વેષમાં ડૂબેલા માનવના આત્માનો પણ આ અવાજ છે. તીર્થ યાત્રાએ જઇ જઇને થાકેલા માનવીના હૃદયનો આ પોકાર છે.પરમ પૂજ્ય એવા હેમાચાર્ય એક અસાધાઙ્ગ માનવ હતાં. તેઓ ન તો ાગ દ્વેષમાં ડૂબેલા હતાં કે ન તો તીર્થ યાત્રા કરીને થાકેલા સાધુ હતાં., આમ છતાંયે આત્મનિંદાના શ્લોકોની ગૂંથણી કરીને આચાર્યશ્રી નમતાની પરાકાષ્ટા દાખવે છે. વીતરાગ પરમાત્મા આગળ પોતે કોણ ? તેમના મહિમાનો પાર કોણ પામી શકે ? પૃથ્વી પરનો પામર માનવી તો નહીં જ. આસક્તિમાં ડૂબેલો માનવી સારી રીતે ધાંચણ કઇ રીતે કરી શકે ? તૌથો માં ભટકવાથી સાચી ધર્મ સાધના થાયકે ? આચાર્યશ્રી સામે અનેક પ્રશ્નો છે પરંતુ પ્રશ્નોના ઉત્તરી તેઓ જ પૂરાં પાડે છે. સાચો તારક કોણ ? સઘળા તીર્થો જોયાં પણ તારક તો મે એકજ જોયો અને તે છે વીતરાગ દેવ આ વીતરાગ દેવની ખુલ્લા હદયે આચાર્યશ્રી કૃપા યાચના કરે છે
Jain Education International
For Private & Personal Use Only
119
www.jainelibrary.org