SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વા ભગવાન માટે તો તે સહજ સાધ્ય છે. આસન જેવી બાણ પ્રવૃતિ કયાં વગરજ પરમ જ્ઞાનની પ્રાપ્તિ ૫ વેરાગ્ય યોગ સહજપણે જ પ્રભુને પ્રાપ્ત થયો છે. નિરંતર ધ્યાન-સમાધિમાં રહેતા સર્વજ્ઞ પરમાત્માને દેહનું ભાન ક્યાંથી હોય ? ચૌદમા પ્રકાશનો સાતમો શ્લોક તે વાત યથાર્થપણે કહી જાય છે तथा समाधौ परमे त्वयात्मा विनिवेशितः । सुखी दुख्यस्मि नास्मीति, यथा न प्रतिपन्नवान ॥७॥ =આપ સમાધિમાં આત્માને એવો સ્થિર કયોં છે કે “ હું સુખી છું કે દખી છું” તેવો આપને ખ્યાલ નથી રહેતો ૭: ध्याता ध्येयं तथा ध्यान, त्रयमेकात्मतां गतम । इति ते योगमाह त्म्य, कथं धद्धीयतां परः ? ॥८॥ =ધ્યાતા ધ્યેય અને ધ્યાન આ ત્રણે આપનામા અક થયેલાં છે, એવું આપનુ યોગ માહાભ્ય બીજા કઈ રીતે જાણી શકે હવે આપણે વીતરાગ સ્તોત્રના પંદરમા પ્રકાશનાં પ્રથમ ત્રણ શ્લોક જોઇશુ. આમાં આચાર્યશ્રી ખરા હદયથી પ્રભુની ગુણ-સ્તુતિ કરે છે. હે પ્રભુ જગતને જય કરનારા આપના અન્ય ગુણો તો દૂર રહો, તમારી શાંત અને ઉદાત મુદ્દા વડે જ ત્રણ જગત વશ થયેલાં છે. ૧ હે પ્રભુ જેમણે મોહ વડે ઈન્દથી પણ મહાન એવા આપનો અનાદર કયો છે તેમણે ખરેખર તો મેરુ પર્વતને તૃણ ગણ્યો છે અને સમુદ્રને ખાબોચીયું ગયું છે. ૨ જે મુર્ખ લોકોએ અજ્ઞાનથી આપનું શાસન સ્વીકાર્યું નથી તે લોકોના હાથમાંથી ચિંતામણી રત્ન પડી ગયું છે અને પ્રાપ્ત થયેલું અમૃત પણ નિરર્થક ગયું છે. આના પછી સાતમા અને આઠમા બ્લોકમાં ભગવાનની આજ્ઞા પ્રમાણે જેમણે પોતાના જીવનને ઘડ્યું છે તેવા પુણ્યશાળીઓને અને જે ભૂમિમાં પ્રભુના ચરણ પડ્યાં છે તે ભૂમિને વંદન કરવામાં આવે છે.અનુવાદ આ પ્રમાણે છે. =જેમણે આપના શાસનના અમૃત રસથી આત્માને સદાય સિંચિત કરેલ છે તેમને અમે હાથની અંજલિ કરી નમીએ છીએ અને તેમની ઉપાસના કરીએ છીએ....૭ 118 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy