________________
કહે નાથ ! ચમત્કાર ઉપજાવતી આ પ્રાતિહાર્ય લ-મીને જોઈને ક્યા મિથ્યાદષ્ટિ જનો પણ આશ્ચર્ય નથી પામતા ?
-------- તીર્થકર ભગવાનના અતિશયોનું વર્ણન હેમચંદ્રાચાર્યે પોતાના અન્ય ગ્રંથોમાં પણ કર્યું છે. અભિધાન ચિંતામણિના દેવાધિદેવ કાંડમાં પણ આ વર્ણન છે. યોગશાસ્ત્રના ૧૧મા પ્રકાશમાં ૨૪થી ૪૭ નંબરના છંદમાં અતિશયોનું વર્ણન છે. ત્રિષષ્ટિ શલાકા ચરિત્રમાં પ્રથમ તીર્થ કર 2ષભદેવના સમવસરણના વર્ણનમાં ભગવંતના અતિશયો વર્ણવેલાં છે
છઠ્ઠો પ્રકાશ, વીતરાગ સ્તોત્રના છઠ્ઠા પ્રકાશમાં ભગવાન સમક્ષ દ્વેષભાવ અને રાત્રુતા ન ટકી શકે તે દશાવેલ છે. પ્રથમ શ્લોકમાં કહે છે કે નેત્રને અમૃતમય અંજન સમાને, લાવણ્યમય પવિત્ર કાયા વાળા આપને જોયા પછી હે પ્રભુ,ઉદાસીન રહેવુ દુ:ખજનક છે. તેમ કરનારની ગતિ નીચી જ હોય છે. આપના પ્રતિ દ્વેષભાવ ત્યાજ્ય છે. ચિંતામણિ સમાન આપની ઉપેક્ષા પણ અયોગ્ય છે. ત્રીજા શ્લોકમાં આચાર્યશ્રી સુંદર વાત કહે છે સમાન શીલ અને ગુણ વાળાને શત્રુતા હોઈ શકે? વળી જેમ ખજો સૂર્યનો પ્રતિપક્ષી ન ગણાય તેમ સામાન્ય માનવી ભગવાન પાસે વિપક્ષી તરીકે ગણના ન પામી શકે. હવે પાંચમાં શ્લોકમાં કહે છે
स्वां प्रपद्यामहे नाणं, त्वां स्तुमस्त्वामुपास्महे ।
स्वत्तो हि न परस्त्राता, कि ब्रूम. ? किमु कुर्महे ? ।।५।। કહે નાથ અમે આપના શરણે છીએ. અમે આપની સ્તુતિ કરીએ છીએ, અમે ઉપાસના કરીએ છીએ. આપના સિવાય બીજો કોઈ ત્રાતા નથી, એ સિવાય તો અમે શું બોલીએ, શું કરીએ ?
114
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org