SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ભગવાન ચાલે ત્યારે માર્ગના વૃક્ષ પ્રણામ કરવા મૂકી જાય છે. ૧૨ આકાશમાં દુભિ વાગે છે. ૧૩ અનુકૂળ પવન વાય છે , સહુને શાતા પ્રશ્યક લાગે છે. ૧૪ ભગવાન ચાલે ત્યારે આકાશમાં પક્ષીઓ પ્રદક્ષિણા કરે છે. ૧૫ ભગવાનના વિહાર ક્ષેત્રમાં દેવતાઓ સુગંથી જળ વષવે છે. ૧૬ ઉપરોક્ત ક્ષેત્રમાં દેવતાઓ રંગ-બેરંગી અને સુગંધિત પુષ્પોની વર્ષા કરે છે. ૧૭ દીક્ષા સમય બાદ ભગવાનના કેશ, રોમ, નખ વધતાં નથી. ૧૮ એક કરોડ દેવતાઓ ભગવાનની સેવામાં તત્પર ઉપસ્થિત હોય ૧૮ બધીજ ત્રસ્તુઓ અને પાંચેય ઈન્દ્રિયના વિષયો અનુકુળ થઈ જાય છે. ઉપર પ્રમાણે ૩૪ અતિશયોનું વર્ણન કર્યાં બાદ હેમચંદ્રાચાર્ય પાંચમાં પ્રકાશમાં ભગવંતના આઠ પ્રતિહાર્ય વર્ણવે છે. આમાંથી કેટલાક તે ૩૪ અતિશયોમાં આવી જાય છે. આ આઠ પ્રતિહાર્ય ( ભગવંતની નિશાનીઓ અને પૂર્વ તૈયારી ૫ ૨ચનાઓ ) આ પ્રમાણે છે. ૧ અશોક વૃક્ષ ૨ સુર-પુષ્પ વૃષ્ટિ ૩ દિવ્ય ધ્વનિ ૪ ચામર ૫ આસન ૬ ભામંડળ ૭ દુભિ ૮ છત્ર. આપણે અત્રે પાંચમાં પ્રકાશના છેલ્લાં ચાર શ્લોકોનો અનુવાદ જોઈએ- =જેમ ચકોર પક્ષીના નયને જ્યોત્સના યુક્ત ચંદ્રમાં આનંદ આપે છે તેમ તેજના ભામંડળે કરીને આપ ભવ્ય જનના નેત્રોને પરમ આનંદ આપો છો. કહે વિશ્વના ઈશ ! આકાશમાં રહેલો દુંદુભિ પ્રતિધ્વનિ કરતા જગતમાં સઘળા દેવો સમક્ષ આપનુ એશ્વર્યા છે તેમ જાહેર કરે છે. =ઉત્તરોત્તર રહેલી પુણ્ય ત્રિદ્ધિના દમ સમાન ઉપરા ઉપરી ત્રણ છત્ર ત્રણ ભુવનનું આપનું પ્રભુત્વ દશૉવે છે Jain Education International For Private & Personal Use Only 113 www.jainelibrary.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy