SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ ઉપરોક્ત ભૂમિમાં અતિ વૃષ્ટિ, અનાવૃષ્ટિ ન હોય ૯ ઉપરોક્ત ભૂમિમાં સ્વરાષ્ટ્ર કે પરરાષ્ટ્ર ભય ન હોય. ૧૦ તે ભૂમિમાં દુષ્કાળનો નાશ થાય છે અને નવો દુષ્કાળ થત નથી , ૧૧ પ્રભુના મસ્તકની પાછળ સૂર્ય મંડળને પરાજિત કરતું દેદીપ્યમાન એવું પ્રકાશનું ભામંડળ હોય છે. પ્રકાશઃ- (૪) દેવકૃત અતિશયો૧ ભગવંતની આગળ આકાશમાં ધર્મ ચક્ર હોય. ૨ ભગવાન ચાલે ત્યારે આકાશમાં ચામરો ચાલતાં હોય, તે બેઠા હોય ત્યારે દેવો ચામરો ઢોળે છે. ૩ ભગવાનને બેસવાનું સ્ફટિક રત્નમય સિંહાસન આગળ હોય છે. તેમના બેસતા પૂર્વે સિંહાસન યથા સ્થાને ગોઠવાઈ જાય છે. ૪ ભગવંત સાથે આકાશમાં ત્રણ છત્ર ચાલે છે. તેઓ બેસે ત્યારે તે છત્રો મસ્તક પર ઉચિત સ્થાને આવી જાય છે. પ વિહાર સમયે જમીનથી ઉશે રત્ન ધ્વજ અને ધર્મ દંડ હોય છે, સમવસરણમાં તે ઉચિત સ્થાને ગોઠવાઈ જાય છે. ૬ ભગવાનના ચાલવાના માર્ગ પર કમળોની શ્રેણી હોય છે. નવ સુવર્ણનાં કમળો ગોઠવેલાં હોય છે. પ્રથમના બે કમળ પર ભગવાન પગ મૂકે ત્યારે નવમું કમળ આગળ આવીને પ્રથમ સ્થાને આવી જાય છે , આમ કમળ બદલાતા રહેવાથી ભગવાન સુવર્ણ કમળ પર જ ચાલે છે. કમળો પણ વ્યવસ્થિત રીતે ગતિ કરે છે. ૭ સમવસરણના ત્રણ ગઢ દેવતાઓ ૨ચે છે. ૮ ભગવાનનું મુખ સમવસરણમાં પૂર્વ દિશામાં હોય છે પરંતુ દેવતાઓ દ્વારા થયેલી રચનાથી ચારે દિશામાં ભગવાન બેઠેલા જોઈ શકાય છે. & સમવસરણના મધ્યમાં અશોકવૃક્ષ હોય છે. તે છત્રની જેમ શોભે છે. તેનો વિસ્તાર એક યોજનાનો હોય છે, અને વિહાર વખતે ભગવાનની સાથોસાથ ચાલે છે. ૧૦ ભગવાન ચાલતા હોય ત્યારે માર્ગમાં કાંટાઓ નીચા નમી જાય છે. 112 12 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy