SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭. અવિસ્મરણીય સ્મરણો ] [ ૬૯ છીએ. ધનપ્રાપ્તિ પ્રત્યે આપણી દષ્ટિ જ નથી, અને તે અર્થે આપણે કોઈ પ્રવૃત્તિ કે શ્રમ કરતા નથી. આવાં શુભ કાર્યોમાં આ રીતે જે આપણે આપણું મૂડીમાંથી–બચાવેલી રકમમાંથી ખર્ચ કરતા હોઈએ તો તે બરોબર છે, પરંતુ આપણી અંગત મૂડી જેવું તે કાંઈ છે નહીં, તેથી આવા કપરા અને કઠિન કાળમાં જે આવી રકમ માટે આપણે આપણા સંતાન પાસે હાથ લંબાવવો પડતો હોય તો, એક રીતે આપણાં સંતાનોને આપણે મદદરૂપ થવાને બદલે બેજારૂપ નથી બની જતા ?' મારી આ વાત સાંભળી મુ. ફત્તેહચંદભાઈ મુક્ત મને હસી પડ્યા અને મને થયું કે આવી વાત કરવામાં મેં ક્યાંક કાચું કાપ્યું છે. તેમણે મને સામો પ્રશ્ન કર્યો “તમારા પુત્ર અને પુત્રીઓને ઉછેરવામાં, કેળવણી આપવામાં અને ધંધાસર કરવામાં જે કાળજી અને મહેનત તમે લીધેલાં, તે બધું તે વખતે તમને બોજારૂપ લાગેલું ?” પછી વળી કહ્યું: “તમારી પુત્રીઓની તમામ જવાબદારી તે તમારા એકલાને શિરે પડેલી, એટલે એ બાબત કદાચ તમને ભારરૂપ લાગી હશે?” એકદમ ઉતાવળે જવાબ આપતાં કહ્યુંઃ “આ તે તમે કેવી વાત કરો છો? પુત્રપુત્રીઓને ઉછેરવામાં તો બેજાને બદલે મને આનંદને જ અનુભવ થયે છે, અને વળી કઈ પિતાને પિતાના સંતાનોને ઉછેરવાનું કામ તે બોજારૂપ લાગતું હશે?” આમ જવાબ આપી હું હસવા લાગે એટલે તેમણે કહ્યું. “જે પિતાને પિતાના સંતાનોને ઉછેરવામાં તેમજ તેમની જરૂરિયાત પૂરી પાડવામાં બે ન લાગ્યું હોય, તે જ પિતાના સંતાનોને-પિતાની વૃદ્ધાવસ્થામાં તેની જરૂરિયાત પૂરી પાડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy