SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ ] [ જાણ્યું અને જોયું વિજયજી મહારાજ સાહેબ પણ પૂજામાં પધાર્યા હતા. પૂજાના ખર્ચને (પ્રભાવને સહિત) બધે મળીને રૂ. ૩૦૦ને આંકડો આવેલે, અને અમે પાંચ છ સભ્યએ એ રકમ પચાસ પચાસ રૂપિયાના ફાળામાં વહેંચી લીધી હતી. મુ. ફત્તેહચંદભાઈએ પણ તેમાં પિતાના ફાળાની રકમ આપી હતી. માતાની પાસે પુત્ર પિતાના મનની ગમે તેવી શંકા જેમ બેધડક રીતે પૂછી શકે તેમ મારા મનની શંકાઓ વિષે હું તેમની સાથે ખુલ્લા દિલે ચર્ચા કરો. એમ કરવામાં ઘણી વખત મારી અજ્ઞાનતાનું પ્રદર્શન થતું, પણ તે સંબંધમાં કઈ પણ વખત કશી પણ ટીકા કર્યા વિના માતા જેમ નાના બાળકને સમજાવે તે રીતે તેઓ મારા અજ્ઞાન અને શંકાને દૂર કરતા. પૂજામાં થયેલા ખર્ચની રકમનો ફાળે આપતાં મેં તેમને પૂછ્યું: “જે દેશમાં ભયંકર ગરીબાઈ પ્રવર્તી રહેલી હોય તેમ જ જે સમાજનો મોટો ભાગ દુઃખમાં રીબાઈ રહ્યો હોય, તે દેશ અને સમાજમાં પૂજા નિમિત્તે આવા ખર્ચા કરવા એ આપણું માટે કે આપણું મંડળના ધ્યેયને બંધબેસતું છે ?” | મુરબ્બી ફત્તેહચંદભાઈએ મને સમજાવ્યું કે બીજી રીતે માણસને તેને ધનની મૂછ ન જતી હોય અને ભાવ તેમજ ઉલ્લાસપૂર્વક આવી રીતે પૂજા ભણાવવામાં તેને આનંદ પ્રાપ્ત થતો હોય, તો તેમ કરવામાં કશું અગ્ય કે ખોટું તો નથી જ. આવી પૂજાએ પણ ભક્તિના એક પ્રતીક રૂપ છે. તેમની વાત પાસે મારી અન્ય દલીલ તો ઉભી રહી શકે તેમ ન હતી, એટલે મેં મૂળ વસ્તુને મારીમચડી બીજી રીતે રજૂ કરતાં કહ્યું. “હું અને તમે બેઉ તો નિવૃત્ત બની ગયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy