SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ છ0 ] [ જાણ્યું અને જોયું વામાં બજે લાગી શકે એમ વિચારવું, એ સંતાનનું અપમાન કરવા બરાબર નથી લાગતું?” હું તેમની વાત સાંભળી ચૂપ થઈ ગયે અને શરમપૂર્વક નીચું જોઈ ગયે. મુ. ફત્તેચંદભાઈએ જૈન સમાજની અનેક સંસ્થાઓની અપૂર્વ સેવા કરી છે, પરંતુ બધી સંસ્થાઓમાં ભાવનગરની જેન આત્માનંદ સભાનું સ્થાન સૌથી મોખરે આવી શકે. છેલ્લાં વીસથી વધુ વર્ષો કરતાં તેઓ આ સંસ્થાના ઉપપ્રમુખ હતા. છેલ્લાં ત્રણ ચાર વર્ષો દરમ્યાન આ સભાના તેઓએ ત્રીસથી ચાલીસ દ્રિને કરાવી આપ્યા અને એ રીતે સભાને આર્થિક દષ્ટિએ સદ્ધર કરવામાં અપૂર્વ ફાળો આપે. આ સભાને મણિમહોત્સવ ચાલુ વરસના ઍપ્રિલ-મે માસમાં ભાવનગર મુકામે બહુ ભવ્ય રીતે ઉજવાયે. તે પ્રસંગે સભાએ મુ. ફત્તેહચંદભાઈ એ સંસ્થા માટેની કરેલી સેવા અથે માનપત્ર આપવાનું નક્કી કર્યું હતું. પરંતુ નાદુરસ્ત તબિયતના કારણે તેઓ આ પ્રસંગે ભાવનગર હાજર ન રહી શક્યા, એટલે એ માનપત્ર તૈયાર કરી મુંબઈ મોકલી આપવામાં આવ્યું, અને મને તેમજ શ્રી પ્રાણજીવનદાસ હ. ગાંધી અને શ્રી હીરાલાલ જુઠાલાલ શાહને વિધિપૂર્વક એ માનપત્ર શ્રી ફત્તેહચંદભાઈને અર્પણ કરવાનું જણાવવામાં આવ્યું. એ વખતે મુ. ફત્તેહચંદભાઈના લઘુબંધુ શ્રી જાદવજીભાઈ જેઓ જેન આત્માનંદ સભાના મંત્રી છે, તે પણ મુંબઈમાં હતા. તેઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy