SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫. દીર્ધદ્રષ્ટા આ. વિજ્યવલભસુરિજી ] : “ધર્મલાભની સાથે માલમ થાય જે ગઈ કાલે અમારી સાથે તમારી જે વાત થઈ હતી તે મુજબ અને અમુક વિશ્વાસુ આદમીની સાથે થયેલી વાતચીત મુજબ અમારે વિચાર નીચે મુજબ જણાય છે.” હોસ્પિટલની વાત ઘણી મોટી અને અશક્ય જેવી અમને લાગે છે, તે એના બદલામાં હેસ્પીટલની જલદી જરૂરત ન પડે એવી રીતે આપના સાધર્મિક ભાઈ ઓની તંદુરસ્તીને માટે ખાસ સગવડ મોટા પાયા ઉપર થાય તે વધારે સારૂ. આ કામ જૈન સમાજમાં આજસુધી થયું નથી. આપનું નામ પ્રથમ નંબરે આવશે અને હંમેશને માટે કાયમ રહેશે, માટે ઘણાં નાનાં નાનાં કામ કરવા કરતાં એક જ મોટું અને સંગીન કામ થાય તો કોઈ પણ કામ કર્યું કહેવાય. આ બાબત પ્રથમ પણ કઈક વખતે પત્રોમાં તમને જણાવેલ યાદ હશે–એ ઉપરાંત શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં આપનું અમર નામ અમદાવાદવાળા શ્રી વાડીલાલ સારાભાઈની માફક થવાની જરૂરત છે એ આપ પોતે જાણે છે. કારણ કે પ્રથમથી જ આપે શ્રી મહાવીર જૈન વિદ્યાલયનું કામ માથે લીધું છે. આ બે કામ ખરાં આપની જીંદગીમાં લહાવો લેવાનાં સમજવામાં આવે છે, તે આશા છે કે આપ જરૂર ઉદારતા દાખવી વિચારી એક મક્કમપણે જણાવશે–મેતીચંદભાઈ આવશે ત્યારે બની શકશે તો હું આવીશ. હાલ એજ દા. વલ્લભ વિના ધર્મલાભ 9––૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy