SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ _.. તે ૬૨ ] { જાણ્યું અને જોયું અનુસરનારા ઘણા સાધુઓ અને સાધ્વીઓ વર્તમાનકાળે પણ આપણું સમાજમાં જોવામાં આવે છે તે જૈન સમાજનું એક મહાન સદ્ભાગ્ય છે. કેળવણું અને સમાજના રચનાત્મક કાર્યમાં છેલ્લી સદીમાં જે કાર્ય આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ કર્યું છે તે કાર્ય સમસ્ત શ્રમણ સંઘના માટે માર્ગદર્શનરૂપ થઈ શકે તેવું છે. તેમનામાં અપાર દીર્ધદષ્ટિ હતી એટલું જ નહિ પણ તેઓ તેમના જમાના કરતાં પચાસ વર્ષ આગળ હતા, તે બાબત નીચેની હકીકત પરથી દેખાઈ આવે છે. વંથળી(સોરઠ) નિવાસી શેઠશ્રી દેવકરણ મૂલજી, આચાર્ય મહારાજશ્રીના એક પરમ ભક્ત હતા. કેન્સરની અસહ્ય બીમારીથી તેઓ પીડાતા હતા અને ભાગ્યયોગે એ વખતે આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ સાહેબ મુંબઈમાં હતા. શ્રી દેવકરણશેઠે એમનું છેલ્લું વીલ મે, ૧૯૨૯માં તૈયાર કર્યું અને તેમાં જેને માટે એક હોસ્પિટલ કરવા માટેની વ્યવસ્થા રાખવામાં આવી હતી, તેમજ સસ્તા ભાડાની ચાલ માટે એક લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. - શ્રી દેવકરણ શેઠે એ વીલ પૂ. આચાર્ય મહારાજશ્રીને માર્ગદર્શન અર્થે વાંચવા મોકલાવ્યું. પૂ. આચાર્યશ્રીએ એ વીલ વાંચ્યું. એ જમાનામાં મુંબઈમાં જગ્યાની તંગીને કઈ પ્રશ્ન ન હતું. પરંતુ આચાર્યશ્રીએ માત્ર વર્તમાન ન જોતાં ભવિષ્યમાં શી પરિસ્થિતિ આવવાની છે તેને પણ ખ્યાલ કર્યો અને આ બાબતમાં તેઓશ્રીએ સદૂગત શ્રી દેવકરણ શેઠ પર નીચે મુજબને એક પત્ર લખ્યા - દાનવીર શેઠ શ્રી દેવકરણ મુળજી જગઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy