SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ] [ જાણ્યું અને જોયું જાય કે તરત જ ધોવા માટે આપણે શીંગ કંપનીમાં મોકલી આપીએ છીએ. એક દિવસ પણ નહાવાનું ન બને તે આપણને શરીર ગંદુ ગંદુ લાગે છે અને સ્નાન કર્યા પછી જ આપણે સ્કૃતિ અનુભવીએ છીએ. પિટમાં કચરો જામતાં આપણને બેચેની થાય છે. એક જ દિવસ માટે પણ આપણને દસ્ત સાફ નથી આવતો તે અકળામણ થાય છે અને જલદીથી ડોકટર પાસે દોડી જઈએ છીએ. કબજિયાત થાય ત્યારે ભૂખ મરી જાય છે, કારણ કે પેટમાં કચરો જામી ગયેલ હોય છે અને તેને દૂર કર્યા વિના ખાવાનું મન નથી થતું. નિત્ય જીવનમાં આપણે આ બધી વસ્તુઓ સારી રીતે સમજીએ છીએ. તનના રોગોની બાબતમાં બધું સમજવા છતાં મનના રોગોની બાબતમાં આપણને ભાગ્યેજ વિચાર આવે છે. ક્રોધ, કામ, ઈર્ષ્યા, અહંકાર, કપટવૃત્તિ, અન્ય પ્રત્યે ધિકકાર, નફરત, તિરસ્કાર, વિરભાવ, શ્રેષવૃત્તિ આ બધાં જ મનના રોગ છે. આ રોગના જંતુઓ જ્યાં સુધી આ બધા શ દૂર નથી કરવામાં આવતાં ત્યાં સુધી આપણને ચોંટી જ રહે છે. દેહના રોગો કરતાં પણ મનના રોગો ભારે ખતરનાક હોય છે, એટલું જ નહિ, પણ વિજ્ઞાને હવે પૂરવાર કર્યું છે કે માણસ માત્રને જે શારીરિક રોગ થાય છે તેના માટે મનની અસ્વસ્થતા, કલુષિતતા અને અવ્યવસ્થા જ મોટા ભાગે જવાબદાર હોય છે. પર્યુષણ પર્વ મહાપર્વ ગણાય છે તેનું કારણ એ છે કે આ પર્વમાં ઉપવાસ દ્વારા દેહની શુદ્ધિ થાય છે, ક્ષમાપના દ્વારા મનની શુદ્ધિ થાય છે અને જેટલા પ્રમાણમાં દેહ અને મન વિશુદ્ધ બને છે તેટલા પ્રમાણમાં આત્મા પણ નિર્મળ બને છે. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy