SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. ક્ષમાપના મંત્રમાં નવકાર મંત્ર, તીર્થધામમાં શ્રી શત્રુંજય, દાનમાં અભયદાન, ગુણેમાં વિનય ગુણ, વ્રતમાં બ્રહ્મચર્ય વત અને સર્વ પર્વોમાં શ્રી પર્યુષણ પર્વ જેમ શ્રેષ્ઠ છે, તેમ શાસ્ત્રકારેએ તપમાં ક્ષમાને શ્રેષ્ઠ કહેલ છે. ક્ષમાને અર્થ સહન કરવું એવો થાય છે. આપણા સાધુ-મુનિરાજે તેમજ બૌદ્ધ ધર્મના ભિક્ષુઓને “ક્ષમણુક” પણ આજ અર્થમાં કહેવામાં આવે છે. શાસ્ત્રકારોએ પર્યુષણ પર્વની આરાધના અર્થે મુખ્ય પાંચ કર્તવ્ય બતાવ્યાં છે, તે આ પ્રમાણે છે – (૧) અમારી પ્રવર્તન (૨) સાધર્મિક વાત્સલ્ય (૩) પરસ્પર ક્ષમાપના (૪) અઠ્ઠમ તપ (૫) ચિત્ય પરિપાટી. - ક્ષમાને અર્થ દરગુજર કરવું અર્થાત માફી એવો થાય છે. પર્યુષણ પર્વ પણ એક રીતે ક્ષમાની આપ-લે માટેનું પર્વ છે. આખા વરસ દરમ્યાન જેની જેની સાથે મનદુઃખ, ઘર્ષણ કે કલેશ કંકાસ થયા હોય, દ્વેષભાવના જાગી હોય અગર મનમાં અન્યના આપણું સાથેના વર્તાવ બાબતમાં કટુતા ઉત્પન્ન થઈ હોય તે, તેઓ સૌ સાથે પર્યુષણ પર્વમાં ક્ષમાપના કરવી જોઈએ અર્થાત અરસપરસ માફી માગીને મનમાંથી એ શલ્યને દૂર કરવું જોઈએ. , બાહ્ય વસ્તુઓ મલિન થઈ ગઈ હોય તો તેને સ્વચ્છ કરવા આપણે પુરતું લક્ષ આપીએ છીએ. કપડાં મેલાં થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy