SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૭ . ૯. ભગવાન મહાવીરના એક સાચા ઉપાસક ] કર્યો, અને કલકત્તા હાઈકોર્ટમાં જેનસમાજની તરફેણમાં વિજય મેળવ્યું. બંગાળી, અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓ ઉપરાંત બીજી દશ ભાષાઓ તેઓ જાણતા હતા. પ્રાતઃ સ્મરણીય પૂજ્ય આત્મારામજી મહારાજની પ્રેરણા અને દેરવણ નીચે, ઈ. સ. ૧૮૯૩માં શિકાગોમાં વિશ્વધર્મ પરિષદમાં તેઓ જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે ગયા. ચિકાશે જતાં પહેલાં સતત છમાસ સુધી તેઓ આત્મારામજી મહારાજના સાન્નિધ્યમાં રહ્યા, અને જૈન આગમશાસ્ત્રો તેમજ તત્વજ્ઞાનને અભ્યાસ કર્યો. વિશ્વધર્મ પરિષદમાં જગતના જુદા જુદા દેશમાંથી જુદા જુદા ધર્મોના પ્રતિનિધિઓ આવ્યા હતા, અને આ પરિષદમાં જૈન ધર્મના સિદ્ધાંતે રજૂ કરી જેન ધર્મને ડું કે તેમણે વગાડ્યો. વિશ્વના જુદા જુદા દેશના પ્રતિનિધિઓ વીરચંદભાઈની વાણી અને જ્ઞાનથી મુગ્ધ થયા. ભારતની બહાર, યુરોપ અને અમેરિકા જેવા દૂર દેશોમાં ભગવાન મહાવીરે ઉપદેશેલા ધર્મને સફળતા અને સમજણપૂર્વક સૌથી પ્રથમ પ્રચાર કરવાના કાર્યને યશ સગત વીરચંદ ગાંધીના ફાળે જાય છે, અને તેથી જ તેમને આપણે ભગવાન મહાવીરના એક સાચા ઉપાસક તરીકે ભગવાન મહાવીરના દશ ઉપાસકોની હરોળમાં મૂકીએ તો તેમાં કશું અતિશયોક્તિ જેવું નથી. વિશ્વધર્મ પરિષદ તે સત્તર દિવસ જ ચાલી, પણ શ્રી વીરચંદભાઈની પ્રતિભા અને પ્રભાવ એ પરિષદના સભ્યો પર એવા જમ્બર પ્રમાણમાં પડ્યા કે પરિષદ પૂર્ણ થયા પછી અમેરિકા તથા ઇંગ્લેન્ડમાં તેમનાં સંખ્યાબંધ પ્રવચને થયાં. અને યુરેપ તેમજ અમેરિકાના લોકોને જૈન તત્વજ્ઞાન સમજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy