SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. આપણું આદર્શો અને જીવનવ્યવહાર વચ્ચેની અસંગતતા મૃત્યુ પામેલા માણસની પાછળ કારજની તિથિ મુકરર થાય છે, અને તે માટે લખાતા પત્રમાં લખાય છે કેઃ “પંચમ કાળ ઘણે જ કઠણ છે, માટે ધર્મ કરશે તે સુખી થશે.” આમ લખવાની પ્રથા બહુ જૂના કાળથી ચાલી આવે છે, એટલે એક વાત તો સાબીત થાય છે કે જેમ જેમ કપ કાળ આવે તેમ તેમ માણસનું લક્ષ ધર્માચરણ તરફ વધુ ને વધુ વળવું જોઈએ, કારણકે કઠિન કાળમાં ધર્મ કરનાર જ સુખપૂર્વક જીવી શકે છે. - કેટલાક કેળવાયેલા અને શિક્ષિત માણસો પ્રશ્ન કરે છે કે વર્તમાન કાળે ધાર્મિક ક્રિયાઓ તો મોટા પ્રમાણમાં થતી જોવામાં આવે છે, ધાર્મિક અનુષ્ઠાને પણ ઘણા થાય છે, તપશ્ચર્યા વધી છે, જિનપૂજા-સામાયિક–પ્રતિક્રમણ કરનારાઓની સંખ્યામાં પણ વધારે થયેલો દેખાય છે. આમ છતાં, આ બધાના પરિણામે ચારિત્રની ઉજજવલતા–તેજસ્વીતા જે દેખાવા જોઈએ તેને અનુભવ કેમ નથી થતો ? આ પ્રશ્નને વિચાર કરતાં લાગે છે કે બાહ્ય ક્રિયાની દૃષ્ટિએ આપણે વિકાસ થચે છે. પરંતુ આવી બધી ક્રિયાને અનુરૂપ આચરણની બાબતમાં આપણે પછાત છીએ. જિનપૂજા અને બીજા ધર્મ અનુષ્ઠાને માણ કરે છે, તેમાં તેઓની દષ્ટિ જુદી જુદી હોય છે. ઘણું લેકે આ બધી ક્રિયાઓ તેમના વડીલે કરતા એટલે ગતાનુગતિક માફક તેઓ પણ કરે છે. બીજે વગ એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy