SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ] [ જાણ્યું અને જોયું T F પણ છે કે જેમને તેમના અપકૃત્યાના પસ્તાવેા થાય છે, અને પાપના એજો હળવા થાય એ દૃષ્ટિએ તેઓ ક્રિયા કરે છે. ત્રીજે વગ જીવનવ્યવહાર વ્યવસ્થાની જાળવણી અર્થે આવી અધી ક્રિયાઓ કરે છે, કારણ કે સમાજમાં તેમને રહેવું છે, સંતાનેાને વરાવવાં–પરણાવવાં છે, એટલે આવી બધી ક્રિયાઓ કરવાની તેમને જરૂર લાગે છે. અલખત્ત, એવા પણ વર્ગ છે કે જે સમજણ અને નિષ્ઠાપૂર્વક આવી બધી ક્રિયાઓ કરે છે, પણ આ વગ ની સ`ખ્યા અલ્પ છે. આમ ધાર્મિક ક્રિયાઓ ધમ અનુષ્ઠાના જીવનમાં જરૂરનાં છે, અને કોઈ માણસને આ બધાંના પરિણામે કાંઈ ફળ ન દેખાતું હેાય તે તે માટે ધમ અનુષ્ઠાનામાં દોષ જોવાને બદલે પાતાની જાતમાં દોષ જોવાની જરૂર છે. આપણી ધાર્મિક ક્રિયાઓ અને જીવનવ્યવહાર વચ્ચે કાઈ મેળ દેખાતા નથી. દાખલા તરીકે, અહી. આપણે બધા છીએ તે પૈકીના લગભગ સૌ દરરાજ ચૈત્યવંદન કરતાં જયવીયરાયનું સૂત્ર ભગવાનની પાસે ખેાલીએ છીએ, અને પ્રાર્થનાનું આ સૂત્ર ખેલતી વખતે સૌથી પ્રથમ ભગવાનની પાસે આપણે ભવ-નિવ્’ની માંગણી કરીએ છીએ. ભવ નિલ્વેના અથ સંસાર પ્રત્યેના અણગમા એમ થાય છે. પરંતુ વાસ્તવિક જીવનમાં આપણે તેથી તદ્દન ઊંધી રીતે વતી એ છીએ. સંસાર પ્રત્યે અણગમા આવે, તેને જન્મ-મરણની ક્રિયા દુ:ખ અને કંટાળારૂપ લાગે, એને બદલે આપણે વધુ ને વધુ ભવા કરવા પડે એ રીતનું જીવન જીવીએ છીએ. આમ આપણા આદેશ અને જીવનવ્યવહાર વચ્ચે કેાઈ મેળ ખાતા નથી, એટલે ચારિત્રની ઉજજવલતા કે તેજસ્વીતા જે દેખાવાં જોઈ એ તે જોઈ શકાતાં નથી. ( એક પ્રવચન આધારિત જૈન સેવક ૨૦–૮–૧૯૬૪.) < J Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy