SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ] [ જાણ્યું અને જોયું હું વિદ્યરાજને આપવા તેમના ઘેર ગયે, અને એ રકમ ઓછી 'હેય તે જે વાજબી રકમ થાય તે આપવા માટે મેં વદ્યરાજને વિવેકપૂર્વક વાત કરી. વઘરાજે મારી વાત શાંતિપૂર્વક સાંભળી લઈ મને કહ્યું : અત્યારે તમારી પાસેથી દવા માટે મારાથી એક પાઈ પણ ન લઈ શકાય, પરંતુ તેમની તબિયત બરાબર સારી થયા બાદ તમે બંને અહીં જરૂર આવજે, અને તે વખતે તમે જે કંઈ આપશે તે બધું હું સ્વીકારી લઈશ.” વૈદ્યરાજની વાત સાંભળી હું આશ્ચર્યચકિત થયે અને કહ્યું: “તમને જે આપવાનું છે તે તે હું અને મારી પત્ની ફરી વખત આવશું ત્યારે જ આપશું, પરંતુ જે દવાઓ તમે આપી છે તેની મૂળ કિંમત પેટે ઓછામાં ઓછી ત્રણસો એક રૂપિયાની રકમ તો તમારે સ્વીકારવી જ પડશે.” મારી વાત સાંભળી વદ્યરાજ પ્રથમ તો હસી પડયા પણ પછી કહ્યું : “સ્થલ દષ્ટિએ પૈસા લેવાદેવાની આ બધી કિયાઓને અમે ભ્રમરૂપ માનીએ છીએ. આમાં આપનાર કોણ? લેનાર કોણ? હું અને તમે તે માત્ર સાક્ષીરૂપે જ છીએ. આપણું લક્ષ્યબિંદુ આવી તુચ્છ બાબત પ્રત્યે નહિ પણ માનવતા પર નિર્ભર હોવું જોઈએ. એટલે દવાના પૈસા લેવાની વાતને હું માનવતાના કલંક જેવી માનું છું.’ વૈદ્યરાજને લાગ્યું કે હું રડી પડીશ, એટલે ઊભા થઈ મારા હાથમાંથી સોસની ત્રણ નેટો સાથેની જે એક રૂપિયાની નેટ હતી તે લઈને કહ્યું : “બસ! હવે આ રૂપિયે સ્વીકારી - તમને અણુમુક્ત કરું છું.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy