SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. સિમલાનું મંદિર અને શ્રમણ બળગોળ ] [ ૨૩ ચંદ્રગિરિ અને વિધ્યગિરિની બે ટેકરીઓ વચ્ચે એક અતિરળિયામણું સ્વચ્છ ચોરસ તળાવ છે, આનું નામ બેગળ અથવા ધવલ સરોવર. ભૂતકાળમાં શ્રમણે અહિં આવીને રહેતાં તેથી જ આનું નામ શ્રમણ બળગોળ પડયું હોય એમ લાગે છે. એમ પણ કહેવાય છે કે ભદ્રબાહસ્વામી આ જગ્યામાં આવી રહ્યા હતા. - ચંદ્રગિરિ પહાડ પર દિગમ્બર સંપ્રદાયનાં કેટલાંક મંદિરો છે, અને ત્યાં અતિભવ્ય અને આહ્લાદક પ્રતિમાઓ છે. સંસારથી વિરક્ત બની સંલેખના કરવા માટે ઘણું સાધુઓએ આ રમણીય સ્થાન પસંદ કર્યું હતું. આ પવિત્ર તીર્થની જાત્રાએ હું તા. ૧૧મી એપ્રિલ ૧૯૯૪ના ગયેલે. વહેલી સવારમાં હું ચંદ્રગિરિ પહાડ પર ચડી ગયેલો. એની ઉંચાઈ આપણું તલાજાના પહાડ જેટલી છે. ત્યાંનું શાંત વાતાવરણ અને ભવ્ય પ્રતિમાઓ જોઈ હું મુગ્ધ બની ગયે. પાર્શ્વનાથ ભગવાનની એક પંદર ફિટ ઊભી પ્રતિમા ત્યાં છે, અને તેના દર્શન કરતાં એક આચાર્યે કહ્યું છે તેમ ચા ક્ષત્તિ અંદી કક્ષાચારચમ્ અર્થાત્ જેના કારુણ્યપૂર્ણ કૃપાદૃષ્ટિના જલપ્રવાહથી હદયના ભાવો ધોવાઈને શુદ્ધ થાય છે–આ વર્ણનની યથાર્થતાનો અહિં મને પૂરેપ અનુભવ થયો. ત્યાંના વ્યવસ્થાપકને હું વેતામ્બર સંપ્રદાયનું છું, પણ મારે અહીં પૂજા કરવી છે એમ કહ્યું, એટલે તેણે બધી તૈયારી કરી આપી. બહારના ભાગના તળાવના પાણીથી મેં સ્નાન કર્યું, અને સૌ પ્રથમ અભિષેકની ક્રિયા કરી. અભિષેક કરવા માટે મંદિરના અંદરના ભાગમાં ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy