SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. ધર્મકળા ] | [ ૧૩ મારા મિત્રે દલીલ કરતાં કહ્યું : “આપણું સરકારને દિ’ ફરી ગયો છે. એ વળી હવે ઘરના ઘાટી અને નોકરોના ઉત્કર્ષ અર્થે કાંઈ નવું બીલ પાસ કરવા માગે છે. આવી પરિસ્થિતિમાં, ઘરના કરો પર કાબૂ ન રાખીએ તો ઘરની વ્યવસ્થા ચલા-- વવી મુશ્કેલ થઈ પડે, એટલે મને તે જ્યારે જ્યારે તક મળે ત્યારે આ લેકોને ધમકાવ્યા વિના રહેતો નથી. મારા મિત્રની વાત સાંભળી મેં ધીમે નિશ્વાસ નાખે. સામેની દિવાલ પર ટાંગેલું ક્ષમામૂર્તિ ભગવાન મહાવીરનું ચિત્ર આ દિવાનખાનાને શરમાવે છે કે શોભાવે છે? એ વિચાર કરતો ત્યાંથી હું ઊઠયો. - જ્ઞાની પુરુષોએ સાચું જ કહ્યું છે કે જીવન ટકાવવું હેલું છે, પણ જીવન જીવવું સહેલું નથી. પિતાની જાતને કળાપ્રેમી તરીકે ઓળખાવતા આ મિત્ર જેવાઓને કણ કહે કે આવા મેટાં મોટાં અને બહુ મૂલ્યવાળાં ચિત્રો ઘરઆંગણે ટાંગવામાં કળાના વિકાસને બદલે કળાને વિલાસ પણ નિમિત્તરૂપ હોય. મહાત્મા ટોલસ્ટોયે સાચું જ કહ્યું છે કે “સારાય માનવસમાજને સત્યાનાશને પંથે લઈ જનાર આ કહેવાતા ઉચ્ચ વર્ગની વિલાસી ટેવે જ છે.” જીવન જીવવાની પણ શ્રેષ્ઠ કળા છે, અને એટલે જ સુપ્રસિદ્ધ વિદ્વાન અને સમર્થ વિચારક રોમા રોલાએ જગતના સર્વ શાસ્ત્રમાં “જીવનશાસ્ત્રને પ્રથમ સ્થાન આપ્યું છે. એની શ્રેષ્ઠતાના માપ વિષે લખતાં તે જણાવે છે કેઃ “જે પ્રમાણે જીવન ગાળવાથી જગતનું ઓછામાં ઓછું અકલ્યાણ થાય અને વધારેમાં વધારે કલ્યાણ સધાય તેજ ઉત્તમ જીવનશાસ્ત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy