SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. સંવત્સરીની કરુણ કહાણ ] ધરાવતું નથી. જેના કારણે રાગદ્વેષાદિ ઉત્પન્ન થાય તે જ્ઞાન જેનશાસ્ત્રોની દષ્ટિએ જ્ઞાન જ નથી, એટલે આ બાબતના અજ્ઞાનને એક રીતે તે હું આશીર્વાદ રૂપ જ માનું છું. સાધુ મુનિ મહારાજેને મલાડ પધારવા આમંત્રણ દેવા જવામાં હું સામેલ હતા, એટલે સ્વાભાવિક રીતે જ તેઓના પ્રત્યે મારી નૈતિક જવાબદારી હતી. તેથી મેં અને મારા પત્નીએ સાથે બેસી નિર્ણય કર્યો કે મારે પ્રથમ દિવસે મુનિ મહારાજેની સાથે જ સંવત્સરી પ્રતિક્રમણ કરવું અને મલાડ જૈિન સંઘના મોટા ભાગના ભાઈબહેને અવિનય ન થાય એ દષ્ટિએ મારાં પત્નીએ બીજે દિવસે એ લેકેના સમૂહમાં પ્રતિક્રમણ કરવું. પતિ-પત્ની એક બીજાના પૂરક જેવાં છે, એટલે અમુક અપેક્ષાએ અમારો નિર્ણય નિશ્ચય દષ્ટિએ ન હોવા છતાં વ્યવહારુ હતું અને કોઈના મનને દુઃખ ન થાય એ પ્રકારને હતે. સંવત્સરી પ્રતિક્રમણની વિધિ તો બંનેમાં એક સમાન હતી, પણ બેમાંથી કોઈને તેમાં રાગદ્વેષને અવકાશ ન હતા. આમ અમારે હેતુ તો ઉત્તમ હતો, પણ જે હેતુસર આ નિર્ણય લીધો હતો, તે હેતુ મારી બાબતમાં ન સર્યો અને હું સદંતર નિષ્ફળ પુરવાર થશે. ના પ્રથમ દિવસે મેં આનંદ અને ગૌરવપૂર્વક સંવત્સરી પ્રતિક્રમણ મુનિ મહારાજના સાંનિધ્યમાં કર્યું. બીજા દિવસે મેં પારણું કર્યું ત્યારે એ દિવસે મારાં પત્નીને ઉપવાસ હતે. બીજા દિવસે ચાર વાગે સંવત્સરી પ્રતિક્રમણ શરૂ થવાનું હતું તે પહેલાં, ત્યાં બિરાજતા મુનિ મહારાજેએ પ્રતિકમણ કરનાર ભાઈ બહેનની સગવડતા અર્થે એક નાના રૂમ સિવાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy