SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ 2 ] [ જાણ્યું અને જોયું બીજી તમામ જગ્યા ખાલી કરી દીધી. આમ છતાં ખાલી થયેલી જગ્યામાં પ્રતિક્રમણ કરનાર સ્ત્રી પુરુષાના સમાવેશ ન થયા એટલે એ લેાકેાના મેાડીઓએ મુનિ મહારાજવાળા નાના રૂમના પણ કબજો લેવા આગ્રહ રાખ્યો અને મુનિમહારાજને નીચે જવા માટે કહ્યું. આ બધા મુનિમહારાજેના નામે તે મને અત્યારે યાદ નથી, પણ તે સૌ અત્યંત સરળ અને નરમ સ્વભાવના હતા. સાધુઓને આપણે આપણા ગુરુદેવ માનીએ છીએ અને તેમની સાથેના વ્યવહાર, વન અને વર્તાવ પણ એને અનુરૂપ જ હોવાં જોઇએ. મેં અને મારા કેટલાક મિત્રોએ (એ મિત્રો પૈકી ઘણા તા કાળધમ પામ્યા છે, પણ એક શ્રી. પુરુષાત્તમદાસ ઝવેરચંદ સુરેન્દ્રનગરમાં છે) સાધુઓને નીચે મેાકલવાની ખાખત માટે વાંધા દર્શાવ્યા. કાઇ વ્યક્તિ પ્રત્યે આપણુને અણુગમા, નારાજી કે તિરસ્કાર હાય તે પણ વ્યવહારમાં તેની સાથેનું આપણું વન આપણે બહુ સલૂકાઈભયુ” રાખીએ છીએ, ત્યારે અહિં તેા પંચમહાવ્રતધારી સાધુએની વાત હતી. એક તરફથી આપણે દરરાજ નવકાર મંત્રના જાપ કરીએ અને ખીજી ખાજી જેનું નિત્ય સ્મરણ કરીએ તેની જ સાથે આવું બેહૂદું વન ચલાવીએ એ અત્યંત કઠોર અને માફ ન થઈ શકે એવું હીન કૃત્ય કહેવાય. મલાડના ભાઈ બહેનેાના સાધુઓને નીચે ઉતારવાના પગલામાં મને તાછડાઈ અને ઉધ્ધતાઈનાં દર્શન થયાં અને હુ' આવેશમાં આવી ગયા. શાંત મુનિરાજે આ તકરાર વિકૃત સ્વરૂપ ન પકડે એ દૃષ્ટિએ પેલે નાના રૂમ પણ ખાલી કરી નીચેના ભાગમાં ચાલી ગયા. મને આમાં મારે પરાજય લાગ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy