SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ IT (૧૫) વિચારની ઉચ્ચ ભૂમિકા ઉપર લઈ જાય છે. તેમણે ધર્મના જુદા જુદા અંશોને ફૂટ કરતી કથાઓ લખી છે, જેમાંની કેટલીક “શીલ ધર્મની કથાઓ ભા. ૧-૨’ નામના પુસ્તક રૂપે પ્રસિદ્ધ થઈ છે -અને આ બધી કથાઓ વાચક વર્ગમાં આદરપાત્ર બની છે. કથાઓ ઉપરાંત સામાન્ય માણસને ઉપયોગી થાય તેવા વ્યાવહારિક વિષયો ઉપર પણ તેમણે નાના નાના લેખો લખ્યા છે, જે જુદા જુદા સામયિકોમાં જુદે જુદે સમયે પ્રસિદ્ધ થયા છે. આ બધા લેખોને એકત્ર કરી પુસ્તકરૂપે છપાવ્યા હોય તે તે કાયમી બને અને સમાજને વધુ ઉપયોગી થાય તેમ અમને લાગવાથી અમે તે માટે શ્રી. મન-સુખલાલભાઈની અનુમતિ માગી અને તેમણે સહર્ષ આપી. અમે તે માટે તેમના ઋણી છીએ. આ પુસ્તકનું નામ “જાયું અને જોયું” રાખવામાં આવ્યું છે. આમાં લેખકે પોતાના જીવન દરમિયાન જે બાબતો જોઈ, જાણી અને અનુભવી, તેમાંથી છવીસ બાબતો ઉપરનું તેમનું મનન અને વિવેચન આપવામાં આવેલ છે, અને સ્વ. શેઠ શ્રી વિરજીભાઈ સંઘવીના નામ સાથે જોડી પ્રસિદ્ધ કરવામાં આવે છે. * આજે જ્યારે નવસર્જન અને નવનિર્માણનો પવન ચારે બાજુ કુંકાય છે, ત્યારે આ લેખ આપણું ઊગતી પ્રજાને માર્ગદર્શક નિવડશે એવી અમે શ્રદ્ધા રાખીએ છીએ. જેન આત્માનંદ સભા | ભાવનગર તા. ૧૦-૧-૭૧ ) ખીમચંદ ચાંપશી શાહ પ્રમુખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy