SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ લેખકનું નિવેદન . “ જાણ્યું અને જોયું” નામના આ લઘુ ગ્રંથમાં જીવનમાં જે કેટલાક પ્રસંગે જાતે અનુભવ્યા, જેયા અને જાણ્યા છે તેનું આલેખન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પૈકી મોટા ભાગના પ્રસંગે જેના સામયિકોમાં અને બાકીના અન્ય સામયિકમાં છપાઈ ગયેલા છે. જે જે સામયિકમાં તે છપાયેલા છે તેના નામે તેમ જ સમયને નિર્દેશ દરેક પ્રસંગના અંતે જણાવવામાં આવેલ છે. આ પ્રસંગો અંગે વિવેચન કરવાનું અત્રે જરૂરી નથી કારણકે પ્રસંગો પોતે જ જે વાત કહેવાની છે તે કહી જાય છે. આ ગ્રંથના પ્રાફકથનમાં તેના વિદ્વાન અને આત્માથી લેખક ડો. ભગવાનદાસભાઈ એ સાચી જ વાત કહેતાં લખ્યું છે કે અહીં આલેખેલા બધા પ્રસંગોમાં મારા મનની ભિન્ન ભિન્ન વૃત્તિઓનું દિગદર્શન થાય છે. જેમ તળાવના પાણીમાં પથ્થર નાખીએ છીએ ત્યારે પાણી મજાનું સ્વરૂપ લઈને પથ્થરની સામે પ્રતિક્રિયા કરે છે, તેમ માનવ મનમાં પણ કોઈ બાબત વિષે આઘાત થાય છે ત્યારે મન પ્રતિક્રિયા કરે છે, જેને આપણે ઘર્ષણ કહીએ છીએ. આવી. આઘાત પ્રત્યાઘાતની લાગણીઓના કારણે મારા ચિત્તે જે ઘર્ષણ અને સંવેદના અનુભવ્યાં તેનું ચિત્ર આ ગ્રંથમાં શબ્દો દ્વારા રજૂ કરવા. મેં નમ્ર પ્રયત્ન કર્યો છે. માનવમનથી વધુ વિચિત્ર આ જગતમાં બીજું કાંઈ જ નથી. મહાસાગરમાં તરતા બરફના પહાડનો માત્ર ઉપલો ભાગ તરતો આપણે જોઈ શકીએ છીએ, પણ પાણીમાં રહેલે ભાગ જોવામાં આવતા નથી. એવું જ આપણું મનની બાબતમાં છે. અને તેથી જ શાસ્ત્રકારોએ કહ્યું છે કે જેણે પિતાની જાતને જાણ એણે સઘળું જાણ્યું. જ્યાં આપણે આપણા મનને જ ઓળખી શકતાં નથી, ત્યાં જાતને ઓળખવાની તે વાત જ ક્યાં રહી? મનને સાચા. અર્થમાં સમજવા માટે તો જન્મજન્માંતરની સાધના પણ ઓછી. પડે એ સાચું, પરંતુ તેમ છતાં આ દિશામાં પ્રયત્ન કરવાની તા. માનવ માત્રની ફરજ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy