SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ (૧૨) એક વિમા કંપનીના મુખ્ય સંચાલક તરીકેની ત્રીસ વર્ષ સુધીની કારકિર્દીમાં અનેક તીર્થસ્થાન અને સુપ્રસિદ્ધ રમણીય સ્થાન જોવાનાં મળ્યાં, અને ભિન્નભિન્ન પ્રકૃતિ અને સ્વભાવના માનો તેમ જ સંત પુરુષોના પરિચયમાં આવવાનું બન્યું. આ બધામાંથી જે સાર કાલ્યો તે એ છે કે માનવજીવન જેમ દુર્લભ છે તેમ કષ્ટમય પણ છે. ઊંચામાં ઊંચું વૃક્ષ પણ ગગનને તો સ્પર્શી શકતું જ નથી. આ જગતમાં કોઈ પણ માણસ માત્ર ગુણોથી (Perfect) ભરેલ નથી તેિમ માત્ર દોષોથી પણ ભરેલું નથી. કોઈમાં ગુણનું પ્રમાણ વધારે છે તો કેઈમાં દોષનું પ્રમાણ વધારે છે. પરંતુ આપણે જેમ ફળોના રસનું જ ગ્રહણ કરીને છાલ ગોટલાની ઉપેક્ષા કરીએ છીએ, કડવા ઔષધે પણ જેમ કડવાશની ઉપેક્ષા કરી દર્દના વિનાશ અર્થે પી જઈએ છીએ, તેમ ગુણદષ્ટિ કેળવી જે માણસમાં રહેલા ગુણોને જ જેતા થઈ જઈએ તો આપણા પોતાના જીવનમાંથી ઘણી કડવાશ ઓછી થઈ જાય છે અને જીવન આનંદરૂપ બની જાય છે. ' સારામાં સારા માણસમાં પણ કોઈને કોઈ જાતની નબળાઈ રહેલી હોય છે, તેમ અધમમાં અધમ માનવીના હૈયામાં પણ કોઈ અગોચર ખૂણે દેવી શકિતનો વાસ રહેલે જ હોય છે. અને તેથી જ, એક વખતના મહાપાપી અને અધમ એવા દર પ્રહારી, અર્જુનભાળી તેમજ ચિલાતી પુત્ર જેવા પણ પોતાના સ્વભાવનું પરિવર્તન કરી સંત મહાત્માની કેટથી પણ અધિક આગળ વધી શક્યા હતા. એટલે આ જગતમાં એકાન્ત કોઈને પાપી કે અધમ માની લે તે યથાર્થ નથી. ગઈ કાલના પાપી જે આજે સંત બની શક્યા છે, તો આજના મહાપાપીઓ પણ આવતી કાલે સંત કેમ ન બની શકે! મનુષ્ય દેવ અને દાનવનું મિશ્ર સ્વરૂપ છે એ વાત એક દષ્ટિએ તદ્દન સાચી છે. માણસ જ્યારે પોતાની વૃત્તિ અને વાસનાને ગુલામ બને છે ત્યારે તે પશુથી પણ વધુ નપાવટ બની જાય છે. કૂતર, ઘોડો, ગાય વગેરે પ્રાણીઓ જ્યારે તેઓનું પેટ ભર્યું હોય ત્યારે તેની પાસે ખાદ્ય પદાર્થ મુકાય તો પણ ખાતાં નથી. એથી ઉલટું રામન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy