SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ ] [ જાણ્યું અને જોયું નિષ્કામ પ્રેમ દ્વારા જે મૈત્રી ઉત્પન્ન થાય છે તેને મનવિજ્ઞાનની પરિભાષામાં પ્લેટોનિક લવ કહેવાય છે. પરંતુ મનોવિશ્લેષણની એક વિચારદષ્ટિએ આવા પ્રેમની વાત એક અત્યંત વિવાદાસ્પદ હકીકત છે) થયે, જે પાછળથી પ્રણયમાં પરિણમે. પરિણામે ઊમિલાએ માબાપની રજા લીધા વગર તેમને અંધારામાં રાખી છૂપી રીતે દયારામ સાથે તા. ૩-૪-૧૯૧૩ ના રોજ લગ્ન કરી લીધાં. આ કિસ્સાની અત્યંત કરૂણ બાબત તો એ હતી કે આ લગ્ન વખતે શ્રી દયારામનાં પ્રથમ પત્ની હયાત હતાં અને દયારામ અને ઊમિલાની વય વચ્ચે મોટું અંતર હતું. બંને પાત્રો અત્યંત સંસ્કારી, અભ્યાસી, ઉચ્ચ કુટુંબનાં અને પ્રતિષ્ઠિત હતાં, એટલે જ્યારે આ લગ્નની વાત બહાર આવી ત્યારે એ સમાચારે મુંબઈ શહેરમાં ભારે ખળભળાટ મચાવી દીધો. શ્રી નરસિંહરાવની રોજનીશી પરથી એટલું તો નિઃસંદેહ પુરવાર થાય છે કે નરસિંહરાવને કે એમનાં પત્ની સુશીલાબહેનને લેશ પણ શંકા આવી નહોતી, કે ઊર્મિલા તરફ પિતાના જે ભાવ રાખનાર દયારામ એની જોડે લગ્ન કરશે, અગર તે દયારામ પ્રત્યે પુત્રીવત્ સંબંધ રાખનાર ઊર્મિલાના હૃદયમાં એ પૂજ્ય વ્યક્તિ પ્રત્યે લગ્ન સંબંધમાં પરિણમે તે સ્નેહ ઉત્પન્ન થશે. - ત્રીજી એપ્રિલે લગ્ન કરી લીધાં હોવા છતાં દયારામ અને ઊર્મિલાએ આ વાત બહાર પડવા ન દીધી અને માબાપથી પણ ખાનગી રાખી. નરસિંહરાવનું કુટુંબ તથા દયારામ અને ઊર્મિલા તા. ૧૬-૪-૧૯૧૩ના દિવસે દાર્જીલિંગ હવાફેર અર્થે ગયાં. ત્યાં તા. રપ-૪-૧૯૧૩ના દિવસે દયારામે એક પત્ર લખી નરસિંહરાવને આ લગ્નની વાત જણાવી છેલ્લે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy